News Continuous Bureau | Mumbai
Job Fair 2025 : સુરત મદદનીશ નિયામક રોજગાર કચેરી, તાપી જિલ્લા રોજગાર કચેરી અને વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તેમજ એન.સી.એસ. સેન્ટર ફોર એસ.સી./એસ.ટી, સુરતના સહયોગથી તા.૧૧/૦૩/૨૦૨૫ના રોજ શ્રીમદ્દ રાજચંદ્ર ભવન, વીર નર્મદ દ. ગુજરાત યુનિવર્સિટી, ઉધના મગદલ્લા રોડ, વેસુ ખાતે મેગા જોબ ફેર યોજાશે.
M.S.W, B.Pharm, M.Pharm, DMLT, B.B.A, M.B.A-(HR/MRK), B.ed(English/Maths/Science /SocialScience)B.A /M.A (Psycholo gy), B.Sc /M.Sc (Chemestry), GNM, DIPLOMA ધો. ૧૦ અને ૧૨ પાસ, I.T.I Music/Dance Teachar, Driver સંબંધિત અભ્યાસ કરેલ રોજગારવાંચ્છુ યુવાનો ઈન્ટરવ્યુ માટે બાયોડેટાની નકલ સાથે આ ભરતી મેળામાં ભાગ લઇ શકશે. ભરતી મેળામાં હાજર રહેનાર કંપની અને તેની ખાલી પડેલ જગ્યાઓની વધુ વિગત માટે તા.૧૦ માર્ચના રોજ રોજગાર કચેરી, સુરતના ફેસબુક પેજ- MCCSURAT અને ટેલીગ્રામ ચેનલ- Employment Office,Surat પરથી જોઈ શકાશે.
આ સમાચાર પણ વાંચો : Saras Mela 2025 :સુરતના અડાજણ ખાતે સરસ મેળાનું આયોજન, ૧૫ માર્ચ સુધી ખૂલ્લો રહેશે મેળો
વધુમાં વધુ યુવાનો રોજગાર મેળામાં ભાગ લે અને રોજગારી મેળવી પગભર બને એમ ઈ.ચા.મદદનીશ નિયામક (રોજગાર), સુરતની યાદીમાં જણાવાયુ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.