News Continuous Bureau | Mumbai
Vande Bharat Express: પશ્ચિમ રેલવે 9મી જુલાઈ, 2023થી અમદાવાદ (સાબરમતી) અને જોધપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવા માટે તૈયાર છે. રિકલાઇનિંગ અને આરામદાયક બેઠકો, સ્લાઇડિંગ દરવાજા, વ્યક્તિગત રીડિંગ લાઇટ્સ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ, એટેન્ડન્ટ કોલ બટન્સ, બાયો-ટોઇલેટ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ડોર, સીસીટીવી કેમેરા વગેરે દ્વારા મુસાફરોને વિશ્વકક્ષાની સુવિધાઓ પૂરી પાડશે.
આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે
પશ્ચિમ રેલવે, અમદાવાદ (સાબરમતી) – જોધપુર વંદે ભારત એક્સપ્રેસના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે જારી કરેલી અખબારી યાદી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 જુલાઈએ લીલી ઝંડી આપશે અને 9મી જુલાઈ, 2023થી નિયમિત કામગીરી શરૂ કરશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને મંગળવારે નહીં ચાલે. ટ્રેન નંબર 12462 અમદાવાદ (સાબરમતી) – જોધપુર વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદ (સાબરમતી) થી 16.45 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.55 કલાકે જોધપુર પહોંચશે. એ જ રીતે, વળતી દિશામાં, ટ્રેન નંબર 12461 જોધપુર – અમદાવાદ (સાબરમતી) વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ જોધપુરથી 05.55 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.05 કલાકે અમદાવાદ (સાબરમતી) પહોંચશે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: શું એકનાથ શિંદે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે? CMએ પોતે આપ્યો જવાબ, અજિત પવારની એન્ટ્રી અને ધારાસભ્યોની નારાજગી પર પણ આપ્યું નિવેદન
આ સ્ટેશનો પર ઉભી રહેશે
આ ટ્રેન બંને દિશામાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના અને પાલી મારવાડ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે.