Site icon

લાઉડ સ્પીકરના વિવાદ બાદ જુમા મસ્જિદે અઝાનને લઈને કર્યું આ કામ

News Continuous Bureau | Mumbai

વહેલી સવારના ધાર્મિક સ્થળો(Religious places) પર વાગતા સ્પીકરને લઈને વિવાદ(loud speaker Row) બાદ હવે હવે બોમ્બે ટ્રસ્ટની(Bombay Trust) જુમા મસ્જિદે(Juma Masjid) લાઈવ અઝાનની(Live Azan) “અલ ઈસ્લાહ”(Al Islah) નામની એપ (App) લોન્ચ કરી છે.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકારના(Mahavikas Aghadi Govt) સમય દરમિયાન લાઉડ સ્પીકરને લઈને ભારે વિવાદ જાગ્યો હતો. ખાસ કરીને વહેલી સવારે લાઉડ સ્પીકર પર કરવામાં આવતી અઝાન સામે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ(MNS) ભારે વિરોધ કર્યો હતો. છેવટે તમામ ધાર્મિક સ્થળો પર સવારના છ વાગ્યા પહેલા લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. હાલ પૂરતો આ વિવાદ શમી ગયો છે. ત્યારે હવે બોમ્બે ટ્રસ્ટની જુમા મસ્જિદે લાઈવ અઝાન માટે એપ લોન્ચ કરી છે.

સ્માર્ટ ફોન(smart phone) પર નમાઝના સમયે લાઈવ એલર્ટ(Live alert) આવશે. સ્માર્ટફોન યુઝરોને IOS અને એન્ડ્રોઇડ(Android) પર નમાઝના સમયે નોટિફિકેશન આવશે.

આ સમાચાર પણ વાંચો : શિવસેનાની મુશ્કેશીમાં ઓર વધારો-BMCના કામોમાં કરોડોનો ભ્રષ્ટાચાર- ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ફડણવીસે આપ્યો આ આદેશ

આ એપ્લિકેશનનું પ્રારંભિક સંસ્કરણ(Initial version) નમાઝના સમય પ્રદાન કરે છે. તેમાં એક જોગવાઈ છે, જેના દ્વારા જુમા મસ્જિદ સમુદાયને (mosque community) ધોષણાઓ રીલે કરી શકે છે. આ સંદુર ઐતિહાસિક મસ્જિદની 360 ડિગ્રી વર્ચ્યુઅલ ટૂર (Virtual tour) પર એમ્બેડેડ છે. ભવિષ્યમાં અન્ય મસ્જિદોમાંથી લાઈવ અઝાન અને કોલેજના કાઉન્સેલિંગ સેન્ટરની લિંક (Link to Counseling Center of College) પણ જોડવામાં આવશે.

મસ્જિદ ટ્રસ્ટના કહેવા મુજબ આ પ્રકારની સમાન એપ્લિકેશન પહેલાથી અસ્તિત્વમાં છે. પરંતુ તે પ્રી-રેકોર્ડેડ  અઝાન વગાડે છે. આ એપમાં જુમા મસ્જિદથી લાઈવ અઝાન સાંભળવા મળશે.
 

Sunetra Pawar: NCPમાં ‘સુનેત્રા યુગ’નો પ્રારંભ! હવે સંગઠનની કમાન પણ સુનેત્રા પવારના હાથમાં,ભાજપમાં વિલીનીકરણની વાતો પર લાગ્યું પૂર્ણવિરામ
Maharashtra: શિક્ષણ પાછળ સરકારનો મોટો ખર્ચ: મહારાષ્ટ્ર સરકારે મંજૂર કર્યા ₹165 કરોડ, 41 લાખ બાળકોના ખભા પર હશે નવા-નક્કોર સરકારી દફતર
Ahmedabad Air India Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના પાછળ પાઈલટનું ખતરનાક કાવતરું? ટેકનિકલ ખામી નહીં પણ આત્મઘાતી કદમની આશંકા, જાણો તપાસ રિપોર્ટની હકીકત
Maharashtra: બોર્ડની પરીક્ષા કે ચોરીનો અડ્ડો? ૧૨મા ધોરણમાં સામૂહિક ચોરીથી શિક્ષણ મંત્રી રોષે ભરાયા, હવે શાળાઓની માન્યતા રદ થવા સુધી આવશે નોબત!
Exit mobile version