Site icon News Continuous Bureau | Mumbai

Kalyan-Dombivli Politics: નગરસેવકો ગાયબ કે હાઈજેક? કલ્યાણ-ડોમ્બિવલીમાં ઉદ્ધવ જૂથના ૪ નેતાઓ લાપતા થતા મચ્યો હડકંપ; કાર્યકરોએ નોંધાવી ફરિયાદ

Kalyan-Dombivli Politics: ચૂંટણી જીત્યાના ૨૪ કલાકમાં જ કોર્પોરેટરો ‘નોટ રિચેબલ’; સંજય રાઉતે ગદ્દારીનો આક્ષેપ કર્યો, CCTV અને કોલ રેકોર્ડની તપાસ શરૂ.

Kalyan-Dombivli Politics નગરસેવકો ગાયબ કે હાઈજેક કલ્યાણ-ડોમ્બિવલીમાં ઉદ્ધવ જૂથના

Kalyan-Dombivli Politics નગરસેવકો ગાયબ કે હાઈજેક કલ્યાણ-ડોમ્બિવલીમાં ઉદ્ધવ જૂથના

News Continuous Bureau | Mumbai
Kalyan-Dombivli Politics: કલ્યાણ-ડોમ્બિવલીમાં શિવસેના (UBT) ના ૧૧ માંથી ૪ નગરસેવકો છેલ્લા કેટલાક દિવસોથી સંપર્ક વિહોણા છે. પક્ષના જિલ્લા પ્રમુખ શરદ પાટીલે કલ્યાણના કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પક્ષને આશંકા છે કે આ નગરસેવકોનું અપહરણ કરવામાં આવ્યું છે અથવા તેમને દબાણ હેઠળ અન્ય જૂથમાં જોડાવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.

કોણ છે આ લાપતા નગરસેવકો?

પોલીસ ફરિયાદ અને વાયરલ થયેલા પોસ્ટરો મુજબ નીચેના ચાર નગરસેવકો લાપતા છે: ૧. મધુર મ્હાત્રે (કલ્યાણ પૂર્વ) ૨. કીર્તિ ધોણે (કલ્યાણ પૂર્વ) ૩. રાહુલ કોટ (કલ્યાણ પશ્ચિમ) ૪. સ્વપ્નિલ કેણે (કલ્યાણ પશ્ચિમ)આમાંથી બે નગરસેવકો અગાઉ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) માં હતા અને ચૂંટણી પહેલા ઉદ્ધવ જૂથમાં જોડાયા હતા. એવી અટકળો છે કે તેઓ ફરીથી MNS અથવા એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ શકે છે.

Join Our WhatsApp Channel

સંજય રાઉતનો આકરો પ્રહાર

શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે આ મામલે આકરું વલણ અપનાવતા કહ્યું કે, “આ નગરસેવકો અમારા ચિન્હ પર જીત્યા છે, પરંતુ જીત્યાના ૨૪ કલાકમાં જ તેઓ ગાયબ થઈ ગયા છે. જો તેઓ સુરક્ષિત હોય તો સામે આવે, બાકી જનતા તેમને ‘ગદ્દાર’ તરીકે ઓળખશે.” પક્ષના કાર્યકર્તાઓએ કલ્યાણની ગલીઓમાં પોસ્ટરો લગાવીને લોકોને અપીલ કરી છે કે જો કોઈને આ નગરસેવકો વિશે માહિતી મળે તો પક્ષની શાખાનો સંપર્ક કરે.

આ સમાચાર પણ વાંચો : Delhi-Mumbai Expressway Accident: ઉજ્જૈનથી પરત ફરતા ૪ મિત્રોના કમકમાટીભર્યા મોત; એક્સપ્રેસવે પર ટ્રકે કારને ૪ કિમી સુધી ઢસીડી

પોલીસ તપાસ અને રાજકીય ગણિત

કોલસેવાડી પોલીસે આ મામલે ટેકનિકલ તપાસ શરૂ કરી છે. નગરસેવકોના મોબાઈલ લોકેશન અને છેલ્લા કોલ રેકોર્ડ્સ (CDR) તપાસવામાં આવી રહ્યા છે. KDMC માં બહુમતી માટે ૬૨ બેઠકોની જરૂર છે. શિંદે જૂથ પાસે ૫૩ અને ભાજપ પાસે ૫૦ બેઠકો છે. જો આ ૪ નગરસેવકો શિંદે જૂથમાં જોડાય છે, તો સત્તાધારી પક્ષનું પલ્લું વધુ ભારે થઈ શકે છે.

Maharashtra| મહારાષ્ટ્રમાં ગરમી નો પ્રકોપ,લાતૂરમાં ૩ ના મોત, સમગ્ર રાજ્યમાં ૩૯ કેસ નોંધાતા તંત્ર એલર્ટ
Maharashtra Heatwave। મહારાષ્ટ્રમાં હીટવેવનું જોખમ તાપમાન ૪૭ ડિગ્રીને વટાવ્યું, તંત્ર એલર્ટ પર; જાણો શું છે લેટેસ્ટ સ્થિતિ
Nitesh Rane। મંત્રી નિતેશ રાણેની મુશ્કેલી વધી ૫ વર્ષ જૂના કેસમાં કોર્ટનો મોટો નિર્ણય
Pune PMPML Bus। પુણેમાં ફિલ્મી સ્ટાઈલમાં બસ ચોરી નશામાં ધૂત યુવાને PMPML બસ હંકારી મૂકી, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version