ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 નવેમ્બર 2021
મંગળવાર.
ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને શીખ સમુદાય માટે એક ખુશીના સમાચાર આપ્યા છે.
કેન્દ્ર સરકારે 17 નવેમ્બરથી કતારપુર સાહિબ કોરીડોરને ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે.
ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, 'એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓને ફાયદો થશે.
ઉલ્લેખનીય છે કે માર્ચ 2020માં કોરોના સંક્ર્મણના કારણે કરતારપુર કોરિડોર બંધ કરવામાં આવ્યો હતો.
