Site icon News Continuous Bureau | Mumbai

Kedarnath Yatra : સાત દિવસ બાદ ફરી આજથી શરૂ થઈ કેદારનાથ યાત્રા, આ જ લોકો કરી શકશે યાત્રા; હેલી સર્વિસમાં 25 ટકા ડિસ્કાઉન્ટ..

કેદારનાથ ધામ માટે હેલી સેવા આજથી એટલે કે બુધવારથી શરૂ થઈ ગઈ છે. ભક્તો હેલિકોપ્ટર દ્વારા બાબા કેદારના દર્શન કરી શકશે. બાબા કેદારનાથ ધામની યાત્રા 31 જુલાઈના રોજ થયેલી દુર્ઘટનાને કારણે સંપૂર્ણપણે બંધ છે.

Kedarnath Yatra Uttarakhand govt resume Kedarnath heli yatra from today, fare down by 25 percent

Kedarnath Yatra Uttarakhand govt resume Kedarnath heli yatra from today, fare down by 25 percent

News Continuous Bureau | Mumbai 

Kedarnath Yatra : ગત 31 જુલાઈ 2024ની રાત્રે ભારે વરસાદને કારણે કેદારનાથ તીર્થયાત્રાના માર્ગ પર ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલન એક જગ્યાએ નહીં પરંતુ સમગ્ર પ્રવાસ માર્ગમાં ઘણી જગ્યાએ થયું હતું અને યાત્રાના રૂટ પર અનેક શ્રદ્ધાળુઓ ફસાયા હતા. ત્યારથી સતત 6 દિવસથી મુસાફરોને બચાવવાની કામગીરી ચાલી રહી હતી. આથી દુર્ઘટનાને કારણે કેદારનાથ યાત્રા પર અત્યાર સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ હવે સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને 7મી ઓગસ્ટ એટલે કે આજથી કેદારનાથ યાત્રા શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Channel

Kedarnath Yatra : હાલ યાત્રા હેલિકોપ્ટર દ્વારા જ થઈ શકશે 

કેદારનાથ યાત્રાને લઈને જારી કરાયેલી જાહેરાતમાં ધામી સરકારે કેદારનાથ યાત્રાને સુચારૂ બનાવવાની જાહેરાત કરી છે. જો કે આ યાત્રા હેલિકોપ્ટર દ્વારા જ થઈ શકે છે. સીએમ ધામીએ આજે ​​રૂદ્રપ્રયાગની મુલાકાત દરમિયાન મીડિયા સાથે વાત કરતા આ જાહેરાત કરી હતી. 

Kedarnath Yatra : આજથી કેદારનાથ યાત્રા શરૂ

સીએમ ધામીએ કહ્યું, જે શ્રદ્ધાળુઓએ ટિકિટ બુક કરાવી છે અને ઉત્તરાખંડ આવ્યા છે, તેમના માટે આ યાત્રા આજથી શરૂ થશે. અમે ઈચ્છીએ છીએ કે આ યાત્રા શક્ય તેટલી વહેલી તકે શરૂ થાય. જેથી ભક્તો બાબા કેદારના દર્શન કરી શકે. એક અઠવાડિયાથી ભક્તો ભગવાનથી દૂર છે. આવી સ્થિતિમાં જ્યાં સુધી રોડનું સમારકામ નહીં થાય ત્યાં સુધી શ્રદ્ધાળુઓ હેલિકોપ્ટર દ્વારા જ કેદારનાથ ધામના દર્શન કરી શકશે.

આ સમાચાર પણ વાંચો : Kedarnath landslide : કેદારનાથમાં વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગમાં ફસાયેલા ગુજરાતના 17 યાત્રિકોનું ગણતરીના કલાકોમાં જ રેસ્ક્યુ થયું.

Kedarnath Yatra :  હેલિકોપ્ટર ભાડામાં 25 ટકા ડિસ્કાઉન્ટ

આ ઉપરાંત સીએમ ધામીએ કહ્યું કે જે શ્રદ્ધાળુઓ ઋષિકેશ, હરિદ્વાર અને રુદ્રપ્રયાગના કેદારનાથ ધામ પહોંચ્યા છે અથવા જવા માગે છે તેમને હેલિકોપ્ટર ભાડામાં 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ 25 ટકા ડિસ્કાઉન્ટનું ભાડું રાજ્ય સરકાર ભોગવશે. એટલું જ નહીં, આગામી સપ્તાહ સુધીમાં પગપાળા કેદારનાથ યાત્રા શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version