Site icon

શિવસેનાના નેતા અનિલ પરબ ઉપર ભાજપના નેતા કિરીટ સોમૈયા એ લગાવ્યા ગંભીર આરોપ. હવે કેસ ચાલશે…

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
 ભારતીય જનતા પાર્ટીના વાઇસ પ્રેસિડન્ટ અને પાર્લામેન્ટના ભૂતપૂર્વ સભ્ય કિરીટ સોમૈયાએ મહારાષ્ટ્ર રાજ્યના પરિવહન મંત્રી અનિલ પરબ વિરુદ્ધ લોકાયુક્ત અદાલતમાં અરજી દાખલ કરી છે.


   કિરીટ સોમૈયાએ આરોપ મૂક્યો છે કે, પરિવહન મંત્રી અનિલ પરબે રાજ્ય સરકારની મ્હાડાની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડીને તેના પર બાંધકામ પણ કર્યું છે. આ સંદર્ભે લોકાયુક્ત માં સમગ્ર બનાવની તપાસ કરવાની અપીલ પણ કરી  છે.
   છેલ્લા કેટલાય સમયથી કિરીટ સોમૈયા શિવસેના પાર્ટી પ્રમુખ ની સાથે બીજા નેતાઓ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકતા આવ્યા છે  પોતે સરકારની ત્રણ વિકેટ પાડશે એવું પણ એમણે જાહેર કર્યું છે.
   ઠાકરે સરકારમા ભ્રષ્ટાચારનો વ્યાપ વધતો જ જાય છે. સરકારના એક પછી એક મંત્રી અને નેતાઓના કાળા કારનામાં લોકો સમક્ષ ઉઘાડા પડતા જાય છે.હવે જોવાનું છે કે કિરીટ સોમૈયા એ લગાવેલા આરોપ સામે પરિવહન મંત્રી શું જવાબ આપે છે.

Join Our WhatsApp Community
Gujarat UCC Bill Passed: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ! લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન માટે આવ્યા નવા નિયમો
Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Exit mobile version