Site icon

અજિત પવારની મુશ્કેલીઓ વધી; કિરીટ સોમૈયાએ તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના પુરાવા પ્રસ્તુત કર્યા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021
ગુરુવાર
ઉપમુખ્યમંત્રી અજિત પવારની મુશ્કેલીઓમાં વધારો થયો. ગઇકાલે ભાજપના નેતા કિરીટ સોમૈયા મુંબઈના ઇડી કાર્યાલયમાં પહોંચ્યા હતા અને સાતારા સ્થિત જરંડેશ્વર સાકર કારખાનામાં અજિત પવારની ભાગીદારી સંદર્ભે દસ્તાવેજો અને પુરાવા પ્રસ્તુત કર્યા હતા.

સોમૈયાએ જણાવ્યું હતું કે જરંડેશ્વર કારખાનામાં ગુરુ કમોડિટી કંપનીની ભાગીદારીની તપાસ થવી જોઇએ. બે મોટા પ્રમોટર્સ દ્વારા સો કરોડ રૂપિયાની વગર વ્યાજની રકમ અજિત પવારને આપવામાં આવી હતી. જે હજી સુધી ઉપયોગમાં લેવાઈ નથી. છાપે મારી બાદ પવારે આ સાથે તેની બહેનોના સંબંધ હોવાની વાત નકારી હતી, પરંતુ હવે સાફ દેખાઈ રહ્યું છે કે તેમણે પોતાની બહેનો સાથે મળીને આ ભ્રષ્ટાચાર કર્યો છે. કારણકે જરંડેશ્વર કારખાનામાં માલિકી તેમની બહેનના નામ પર છે. જ્યારે તેમના બનેવીઓનું નામ ભાગીદારોમાં છે.

Join Our WhatsApp Community

ગીતા ગોપીનાથ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડનું અધ્યક્ષપદ છોડશે, જાણો શું છે તેમની ભાવિ યોજના

કિરીટ સોમૈયાએ વધુમાં કહ્યું હતું કે આ કારખાના સાથે જોડાયેલા કારીગરો અને ખેડૂતોને કોઈ પણ નુકસાન નહીં થાય. 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version