Site icon

 હવે લાગશે કોનો નંબર? કિરીટ સોમૈયા મહારાષ્ટ્ર કૅબિનેટના વધુ એક નેતાની પોલખોલ કરશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ઠાકરે સરકારના ૧૧ મંત્રીઓની યાદી તૈયાર કરી છે અને તેમના ઉપર ગંભીર ભ્રષ્ટાચારના આરોપ લગાવીને ઈડી દ્વારા તપાસ પણ શરૂ છે. એક મહિનાથી સોમૈયા સંબંધિત મંત્રીઓના મતદાર સંઘમાં જઈને તેમના ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે. સોમૈયાએ આજે પુણેમાં જરંડેશ્વર સાકર કારખાનાના ગોટાળાની સમીક્ષા કરી.
  પુણેની મુલાકાત દરમિયાન સોમૈયા પુણે જિલ્લા મધ્યવર્તી સહકારી બૅન્કની પણ મુલાકાત લેશે. આ બૅન્કે જરંડેશ્વર સાકર કારખાનાને લોન આપી હતી. આઘાડી સરકારના સમયમાં અજિત પવાર આ બૅન્કના એટલે કે મહારાષ્ટ્ર રાજ્ય સરકારી કૉ-ઑપરેટિવ બૅન્કના અધ્યક્ષ હતા. એ સમયમાં બૅન્કમાં કથિત ૨૫ કરોડ રૂપિયાનો ગોટાળો થયાનો આરોપ છે. ખાસ કરીને આ કારખાનાને અજિત પવારની કારકિર્દીના સમયમાં જ ચાર સહકારી બૅન્કોએ લોન આપી છે. એમાં સતારા જિલ્લા બૅન્કનો પણ સમાવેશ છે. આ કારખાનું અજિત પવારના મામા રાજેન્દ્ર ધાડગેનું છે. તે આ બૅન્કના ચૅરમૅન છે. એથી હવે સોમૈયાનું તીર અજિત પવાર તરફ છે.

દેશના વિકાસ પર બ્રેક! જનરલ મોટર્સ અને હાર્લી ડેવિડસન બાદ હવે આ કંપની પણ ભારતમાંથી પોતાનો બિઝનેસ પાછો ખેંચશે; જાણો વિગતે

Join Our WhatsApp Community

આ બાબતે મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખાએ ૨૨મી ઑગસ્ટ, ૨૦૧૯ના રોજ ગુનો દાખલ કર્યો હતો. જેના આધારે ઈડીએ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

Gujarat UCC Bill Passed: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ! લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન માટે આવ્યા નવા નિયમો
Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Exit mobile version