News Continuous Bureau | Mumbai
કોલ્હાપુર (Kolhapur) ના કલંબામાં એક એવી ઘટના બની છે જેની ચર્ચા આખા મહારાષ્ટ્રમાં (Maharashtra) ચાલી રહી છે. અહીં એક વ્યક્તિએ 21 લાખની કિંમતની બાઇક ખરીદી હતી. આ બાઇક (Bike) નું ધમાકેદાર સ્વાગત કરવા માટે એક મોટું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. જો કે આ ખુશી પંદર દિવસ પણ ટકી શકી નથી. ગત સપ્તાહે એક જ રાતમાં થયેલા અકસ્માત (Accident) ને કારણે 21 લાખ રૂપિયાની કિંમતની બાઇક રાખ થઈ હોવાનું સામે આવ્યું છે. માત્ર 15 મિનિટમાં આ બાઇક બળી જાય છે. પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ આગ મોડી રાત્રે લગભગ 3 વાગે લાગી હતી. ફાયર ફાઈટરો (fire fighters) એ આગને કાબુમાં લીધી હતી. પરંતુ આ આગ લાગવાનું કારણ હજુ અસ્પષ્ટ છે.
આ સમાચાર પણ વાંચો: મંદિરમાં દીવો કરતી વખતે ન કરો આ ભૂલ, નહીં તો થશે માતા લક્ષ્મી ક્રોધીત, આ નિયમોનું કરો પાલન…
આ આગમાં 21 લાખની કિંમતની બાઇક સહિત બે વાહનોને પણ નુકસાન થયું હતું. આ બાઇકમાં અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. આ યુવકનું નામ રાજેશ ચૌગલે છે અને તેણે દિવાળી (diwali) દરમિયાન આ બાઇક ખરીદી હતી. જે બાદ આ યુવકની પણ આખા ગામમાં ચર્ચા થઈ હતી. આગમાં 40 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું પણ કહેવાય છે.