Site icon

કોઝિકોડ વિમાન દુર્ઘટના: એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટના જીવલેણ ઉતરાણ પાછળના 3 સંભવિત કારણો.. જાણો વિગતે.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

08 ઓગસ્ટ 2020

કેરળના કોઝિકોડ એરપોર્ટના રનવે પરથી શુક્રવારે, 7 ઓગસ્ટની સાંજે એર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાનનું ગમખ્વાર અકસ્માત થયો. જેમાં 190 લોકો સવાર હતા, તેમાંથી બંને પાઇલટ્સ સહિત ઓછામાં ઓછા 17 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

આ વિમાન કેવી રીતે ક્રેશ થયું?? જે માટે નીચેની ત્રણ સંભાવનાઓ કારણભૂત હોઈ શકે છે. 

# પ્રથમ, પાઇલટ્સને વર્ષમાં ઓછામાં ઓછા બે વાર તાલીમ લેવી પડે છે અને તે પછી વિમાન ઉડાન માટે તેમને 'ફીટ' તરીકે મૂલ્યાંકન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોવિડ -19 ને કારણે સિમ્યુલેટરની મદદથી લેવામાં આવતી તાલીમ 30 સપ્ટેમ્બર સુધી રદ કરવામાં આવી હતી, જેનો અર્થ એ કે જેઓ ઉડવા માટે 'ફીટ' ન હતા..

# માનસિક તાણ, પાઇલોટ્સ માટે માનસિક તાણ હોઇ શકે તે બીજું કારણ છે. તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી કે તમામ પાઇલટ્સના પગારમાં 60 ટકાનો ઘટાડો કરવામાં આવશે. સૂચિત પગાર ઘટાડો 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. આ જાહેરાત ગુરુવારે કરવામાં આવી હતી. બની શકે આનાથી પાઇલટ્સ ભારે માનસિક તાણ માં હોઈ શકે…

# ત્રીજે સ્થાને, કરિપુર એરપોર્ટ રનવે.. કે જેના પર આ અકસ્માત થયો તેને 'ટેબલ ટોપ રનવે' કહેવામાં આવે છે. તેની વચ્ચે લાઇટ્સ હોય છે જેથી લેન્ડ કરતી વખતે રનવેનો વધુ સારો અંદાજ આપવા માટે 'સેન્ટર લાઇટ' કહેવામાં આવે છે. પરંતુ આ રન-વે પર આવો કોઈ પ્રકાશ નહોતો. તેને 'બ્લેક હોલ એપ્રોચ' કહે છે. રનવે જોખમી છે અને મોટા એરક્રાફ્ટ આ એરપોર્ટ પર ઉતરતા નથી. 

વિમાનમાં 184 મુસાફરો, બે પાઇલટ અને ચાર કેબીન ક્રૂ કુલ 190 લોકો હતા. વિમાન રનવે પરથી બહાર નીકળી ગયું હતું અને લગભગ 35 ફુટ નીચે પડી ગયું હતું, તે બે ભાગમાં તૂટી ગયું હતું. દેખીતી રીતે આગળના ભાગમાં નુકસાન થયું હતું પરંતુ પાછળના ભાગમાં લોકો બચી ગયા છે. ફ્લાઇટ કેન્દ્ર દ્વારા લાગુ 'વંદે ભારત મિશન'નો એક ભાગ હતી.. 

આ સાથે જ પ્રદેશમાં અવિરત વરસાદને લીધે, વિમાનને ટેઇલવિન્ડનો અનુભવ થયો હતો અને 'બ્લેક હોલ'ની સમસ્યાથી રનવેનો યોગ્ય અંદાજ લઈ શકાતો ન હતો.. મીનહિલ, કરિપુર એરપોર્ટ પર બચાવ કામગીરી હાથ ધરવા માટે રાજ્ય અને કેન્દ્રીય સત્તાધિકારીઓ દ્વારા તમામ શક્ય સહાય કરવામાં આવી રહી છે… 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Exit mobile version