Site icon

હિમાચલ પ્રદેશમાં કુદરતી આફત : કિન્નોર બાદ હવે લાહૌલમાં પર્વત તૂટ્યો, ચંદ્રભાગા નદીનો પ્રવાહ બંધ, જુઓ વીડિયો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર 

હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. ગુરુવારે કિન્નૌરમાં નૅશનલ હાઇવે -5 પર નિગુલસેરી નજીક ભૂસ્ખલન થયું હતું, એ રાહત અને બચાવકાર્ય હજુ પણ ચાલુ છે. દરમિયાન લાહૌલમાં પર્વત તૂટવાના સમાચારે હલચલ મચાવી દીધી છે. લાહૌલમાં, પર્વત તૂટવાને કારણે, ડ્રેઇનનું પાણી બંધ થઈ ગયું છે, જેના કારણે આસપાસનાં ગામને ખતરો છે. લાહૌલના જસરથ, તાડાંગ, હલીંગ ગામો વધારે જોખમમાં છે. એવું માનવામાં આવે છે કે જો આ પ્રવાહ અચાનક તૂટી જાય, તો લગભગ એક ડઝન ગામ સહિત ઘણા પુલ વહી શકે છે.

આ ખતરાને ધ્યાનમાં રાખતાં નજીકનાં ગામો ખાલી કરીને લોકોને સુરક્ષિત સ્થળે જવાની હિમાયત કરાઈ છે. લાહૌલના જુંડા નાળાની સામે નાલડા પહાડના ધસવાથી ચંદ્રભાગા નદીનું વહેણ રોકાઈ ગયું છે. સાથે ગામની જમીન, ગામ પરનું જોખમ વધી ગયું છે. સમગ્ર નદી ડેમનું રૂપ લઈ ચૂકી છે. ઘટનાસ્થળે ભયંકર સ્થિતિ સર્જાઈ છે.

મુંબઈ ઍરપૉર્ટ ભગવાન ભરોસે : ઍરપૉર્ટના રનવે પર બની આ દુર્ઘટના, ઍરપૉર્ટ અને પોલીસ પ્રશાસન થયું દોડતું; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં નૅશનલ હાઈવે-5 પર નિગુલસરી નજીક ભેખડો ધસવાથી ભયાવહ ભૂસ્ખલનના બીજા દિવસે રેસ્ક્યુ ટીમે કાટમાળમાંથી વધુ ચાર લોકોના મૃતદેહ કાઢ્યા છે. મૃતકોની સંખ્યા 14 પર પહોંચી ગઈ છે. ઘટનાના લગભગ 20 કલાક બાદ હિમાચલ પથ પરિવહન નિગમ બસના કેટલાક ટુકડા અને ટાયરોને પણ શોધી કઢાયાં છે. જોકે બસમાં સવાર મુસાફરોમાંથી 16 લોકો હજુ પણ લાપતા છે.

 

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version