Site icon News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્ર સરકારની ચેતવણી, રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં આટલા લાખ લોકો થઈ શકે છે સંક્રમિત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,1 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર.

કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે મહારાષ્ટ્રમાં 80 લાખ કોરોનાના કેસ સામે આવશે તેવી ચેતવણી રાજ્ય સરકારે આપી છે.

મહારાષ્ટ્ર સરકારના સ્વાસ્થ્ય વિભાગના વધારાના મુખ્ય સચિવ ડો.પ્રદીપ વ્યાસ દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેકટરને પત્ર લખીને કહેવામાં આવ્યુ છે કે, કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમિત લોકોની સંખ્યા બહુ વધવાની છે.

તેમણે ચેતવણી આપતા કહ્યું છે કે, જો 80 લાખ નવા કેસ સામે આવે અને તેમાંથી માત્ર એક જ ટકાના મોત થશે તેવુ ધારીએ તો પણ 80000 મોત થઈ શકે છે

કોરોનાની ત્રીજી લહેરને હળવાશથી લેવાની જરુર નથી અને તે ઘાતક સાબિત નહીં થાય તેવુ માનવાની પણ જરુર નથી.

તેમણે કહ્યુ હતુ કે, જેમનુ રસીકરણ નથી થયુ તેમના માટે પણ આ વાયરસ ઘાતક છે અને એટલે જ દરેક જિલ્લામાં મહત્તમ રસીકરણ કરવામાં આવે અને લોકોનો જીવ બચાવવામાં આવે.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version