લખીમપુર હિંસા: કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી જ્યાં સુધી ખેડૂત પરિવારોને મળે નહીં ત્યાં સુધી કરશે આ કામ.. જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 ઓક્ટોબર,  2021 

મંગળવાર

યુપીના લખીમપુર ખીરીમાં ભડકેલી હિંસાના પીડિતોને મળવા પહોંચેલા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી હજુ સીતાપુરમાં નજરકેદ છે.

પ્રાપ્ત જાણકારી મુજબ પ્રિયંકા ગાંધીએ નજરકેદ દરમિયાન ઉપવાસ પણ શરૂ કર્યા છે અને ખેડૂત પરિવારોને મળે નહીં ત્યાં સુધી ખોરાક ન લેવાની જાહેરાત કરી છે.  

સાથે જ તેમણે કહ્યું છે કે પોલીસ તેને છોડશે ત્યારે તેઓ ચોક્કસપણે ખેડૂતોને મળવા માટે લખીમપુર જશે.

સોમવારે યોગી સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે સમજૂતી થઈ હતી, જે બાદ લખીમપુરમાં ચાલી રહેલ તણાવ થોડો ઓછો થતો જણાય છે.

ઉલ્લેખનીય છે કે પોલીસથી બચવા માટે રસ્તામાં બેથી ત્રણ વખત વાહનો બદલ્યા પરંતુ સવારે 5 વાગ્યે સીતાપુરના હરગાંવ ખાતે તેમની અટકાયત કરવામાં આવી. તેમને સીતાપુર પીએસી કેમ્પસમાં નજરકેદ કરવામાં આવ્યા છે. 

મુંબઈમાં પ્રોજેક્ટ અસરગ્રસ્તોને હવે ઘરને બદલે મુંબઈ મનપા આપશે આટલા લાખ રૂપિયા સુધીની ભરપાઈ; જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More