કોંગ્રેસને મોટો ઝટકો : આ દિગ્ગજ નેતા નો પુત્ર ભાજપમાં જોડાયો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

મંગળવાર

પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહના પૌત્ર ઇન્દ્રજીત સિંહ સોમવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. 

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની હાજરીમાં, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહના પૌત્ર ઇન્દ્રજીત સિંહ ભાજપ મુખ્યાલય ખાતે ભાજપમાં જોડાયા. 

આ સાથે તેમણે પાર્ટીનું સભ્યપદ પણ લીધું. ભાજપમાં જોડાયા બાદ ઇન્દ્રજિત સિંહે તેમના દાદાની ઇચ્છા પૂર્ણ થઈ હોવાનું કહ્યું હતું.

ઈન્દ્રજીત સિંહે કોંગ્રેસને સકંજામાં મુકતી વખતે તેમના દાદા જ્ઞાની ઝૈલ સિંહના મોતને લઈને ઘણા પ્રશ્નો ઉભા કર્યા. 

તેમણે કહ્યું કે, 1994 માં તેમના દાદા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની કાર કોઈ કાવતરાને કારણે જાણી જોઈને અકસ્માત સર્જી હતી, જે બાદ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ઉલ્લેખનીય છે કે 1994 માં 78 વર્ષની ઉંમરે ગિની ઝૈલ સિંહનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

ચોમાસાનું એલર્ટ : રાજ્યના આ ભાગમાં હજુ પાંચ દિવસ ભારે વરસાદની વકી; જાણો ક્યાં કેટલો વરસાદ પડશે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More