Site icon

જગતના નાથ દ્વારકાધીશના શિખર-ધ્વજ પર વીજળી પડી, કુદરતી પ્રકોપને દ્વારકાધીશે પોતાના માથે ઝીલ્યો હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં, જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 14 જુલાઈ 2021

Join Our WhatsApp Community

બુધવાર

ગુજરાત સહિત અનેક રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન કુદરતી પ્રકોપને દ્વારકાધીશે પોતાના શિરે લીધા હોઈ એવાં અદ્ભુત દ્દૃશ્યો જોવા મળ્યાં હતાં.

હકીકતમાં દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં ગઈ કાલે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન દ્વારકાધીશના શિખર-ધ્વજ પર વીજળી પડી હતી અને એને કારણે મંદિરની ટોચ પરના દંડ પર ફરકતી ધજા સહેજ ફાટી ગઈ હતી. જોકે સદ્ભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. મંદિરના શિખર પર કોપરના વાયરનું અર્થિંગ ગોઠવ્યું હોવાથી વીજળી સડસડાટ જમીનમાં ઊતરી ગઈ હતી.

અરે વાહ! વેક્સિનના બંને ડોઝ લેનારા ડોમેસ્ટિક પ્રવાસીઓનો થશે આ માથાકૂટથી છુટકારો, મુંબઈ ઍરપૉર્ટ પર મળશે આ રાહત; જાણો વિગત

આ ઘટનાની જાણ થયા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દેવભૂમિ-દ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે ફોન પર વાતચીત પણ કરી હતી. હાલ દ્વારકાધીશ મંદિર પરના આકાશમાં થતા વીજળીના ચમકારાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

 

Rajya Sabha Election 2026: ચૂંરાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર: મહારાષ્ટ્રની ૭ બેઠકો માટે ૧૬ માર્ચે ખરાખરીનો જંગ; પાર્થ પવારના નામે રાજકીય સમીકરણો બદલ્યા!.
Muslim Reservation Maharashtra: મુસ્લિમ આરક્ષણ મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: અચાનક કેમ લેવાયો રદ કરવાનો નિર્ણય? જાણો AIMIM ના કટાક્ષ અને વિવાદ પાછળનું અસલી કારણ.
Sunetra Pawar: NCPમાં ‘સુનેત્રા યુગ’નો પ્રારંભ! હવે સંગઠનની કમાન પણ સુનેત્રા પવારના હાથમાં,ભાજપમાં વિલીનીકરણની વાતો પર લાગ્યું પૂર્ણવિરામ
Maharashtra: શિક્ષણ પાછળ સરકારનો મોટો ખર્ચ: મહારાષ્ટ્ર સરકારે મંજૂર કર્યા ₹165 કરોડ, 41 લાખ બાળકોના ખભા પર હશે નવા-નક્કોર સરકારી દફતર
Exit mobile version