Site icon

મહારાષ્ટ્રમાં પંદર દિવસ માટે લોક ડાઉન વધારવામાં આવે તેવી શક્યતા : ટૂંકમાં જાહેરાત થશે

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર

 મહારાષ્ટ્ર સરકારે લાગેલું ૧૫ મેં સુધી નું લોકડાઉન હવે પુરું થવાના આરે છે. ત્યારે મહારાષ્ટ્ર સરકાર આ લોકડાઉનને વધુ 15 દિવસ વધારે તેવી શક્યતા બળવત્તર થઇ રહી છે. મહારાષ્ટ્રમાં બુધવારે ૩૭,૦૦૦ કોરોના ના કેસ નોંધાયા છે. આ સંખ્યા છેલ્લા ૪૧ દિવસની સૌથી ઓછી સંખ્યા છે. જોકે આ સમગ્ર વિષય સંદર્ભે મીડિયા સાથે વાતચીત કરતા મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે જો લોકડાઉન ને ખોલવામાં આવે તો આ પરિસ્થિતિ હાથ માં થી બહાર નીકળી જશે. હજી સુધી પરિસ્થિતિ 100% કાબૂમાં આવી નથી. મહારાષ્ટ્રના 21 જિલ્લામાં પરિસ્થિતિ વણસી છે જ્યારે કે ૧૫ જિલ્લામાં પરિસ્થિતિ સુધરી છે. મુંબઈ અને થાણે જેવા વિસ્તારમાં પરિસ્થિતિ પૂર્ણપણે કાબૂમાં છે. આથી સરકાર વિચાર કરી રહી છે કે જ્યાં પરિસ્થિતિ સુધરી હોય ત્યાં ઓછા કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવે. તેમજ જ્યાં પરિસ્થિતિ વધુ ખરાબ હોય ત્યાં વધુ કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવે. પરંતુ એક વાત નક્કી છે કે પ્રતિબંધ તો રહેશે જ.

Join Our WhatsApp Community

એલર્ટ થઈ જાઓ : ભારતમાં મળેલા કોરોનાના વેરિયન્ટને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આંતરરાષ્ટ્રીય રીતે જોખમી ગણાવ્યો.
 

Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Exit mobile version