મહારાષ્ટ્રના આ જિલ્લાઓમાં 1 જૂન પછી પણ યથાવત્ રહેશે લૉકડાઉન; વિજય વડેટ્ટીવારે આપી આ માહિતી, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

મહારાષ્ટ્રમાં લોકડાઉન પૂરું થવાની મુદત નજીક આવતાં જ હવે 1 જૂન બાદ શું થશે એની ચર્ચાઓ તીવ્ર બની છે. હવે આ વિશે રાજ્યના રાહત અને પુનર્વિકાસપ્રધાન વિજય વડેટ્ટીવારે એક મહત્ત્વપૂર્ણ જાણકારી આપી છે.

એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં વિજય વડેટ્ટીવારે જણાવ્યું છે કે “રાજ્યમાં પ્રતિબંધો એકસાથે નહિ, પણ ત્રણથી ચાર તબક્કમાં હળવા કરવામાં આવશે, પરંતુ રેડ ઝોનમાં રહેલા તમામ જિલ્લાઓમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહિ.” ઉપરાંત મુંબઈમાં લોકલ ટ્રેન સામાન્ય જનતા માટે શરૂ કરવી હજી જોખમકારક હોવાનો મત વડેટ્ટીવારે વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યના ૧૪ જિલ્લાઓ રેડ ઝોનમાં છે. એથી આ તમામ જિલ્લાઓમાં કોઈપણ છૂટ મળવાની શક્યતા નથી. પરિસ્થિતિ સુધર્યા બાદ એનું વિશ્લેષણ થયા બાદ જ આ વિસ્તારોમાં છૂટછાટ આપવામાં આવશે.

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Aam Aadmi Party: પુણે કોર્પોરેશન ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી! 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સમીકરણો બદલાશે.
Thackeray alliance: ઠાકરે ભાઈઓનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! ફોર્મ ભરતા પહેલા કરી શકે છે ઐતિહાસિક જાહેરાત, રાજકારણમાં ભૂકંપ.
Exit mobile version