Site icon

મહારાષ્ટ્રના આ જિલ્લાઓમાં 1 જૂન પછી પણ યથાવત્ રહેશે લૉકડાઉન; વિજય વડેટ્ટીવારે આપી આ માહિતી, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

મહારાષ્ટ્રમાં લોકડાઉન પૂરું થવાની મુદત નજીક આવતાં જ હવે 1 જૂન બાદ શું થશે એની ચર્ચાઓ તીવ્ર બની છે. હવે આ વિશે રાજ્યના રાહત અને પુનર્વિકાસપ્રધાન વિજય વડેટ્ટીવારે એક મહત્ત્વપૂર્ણ જાણકારી આપી છે.

એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં વિજય વડેટ્ટીવારે જણાવ્યું છે કે “રાજ્યમાં પ્રતિબંધો એકસાથે નહિ, પણ ત્રણથી ચાર તબક્કમાં હળવા કરવામાં આવશે, પરંતુ રેડ ઝોનમાં રહેલા તમામ જિલ્લાઓમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહિ.” ઉપરાંત મુંબઈમાં લોકલ ટ્રેન સામાન્ય જનતા માટે શરૂ કરવી હજી જોખમકારક હોવાનો મત વડેટ્ટીવારે વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યના ૧૪ જિલ્લાઓ રેડ ઝોનમાં છે. એથી આ તમામ જિલ્લાઓમાં કોઈપણ છૂટ મળવાની શક્યતા નથી. પરિસ્થિતિ સુધર્યા બાદ એનું વિશ્લેષણ થયા બાદ જ આ વિસ્તારોમાં છૂટછાટ આપવામાં આવશે.

Ahmedabad Air India Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના પાછળ પાઈલટનું ખતરનાક કાવતરું? ટેકનિકલ ખામી નહીં પણ આત્મઘાતી કદમની આશંકા, જાણો તપાસ રિપોર્ટની હકીકત
Maharashtra: બોર્ડની પરીક્ષા કે ચોરીનો અડ્ડો? ૧૨મા ધોરણમાં સામૂહિક ચોરીથી શિક્ષણ મંત્રી રોષે ભરાયા, હવે શાળાઓની માન્યતા રદ થવા સુધી આવશે નોબત!
Maharashtra Govt Jobs: ૭૦,૦૦૦ સરકારી જગ્યાઓ માટે ભરતીનો માર્ગ સાફ, શિક્ષણથી લઈને પોલીસ વિભાગ સુધીની ખાલી બેઠકોનું લિસ્ટ જાહેર
Maharashtra ZP Election Results: શરદ પવાર અને કોંગ્રેસના ગઢમાં ગાબડું! મહાયુતિએ ગ્રામીણ બેલ્ટમાં મચાવ્યો ખળભળાટ, ૮૦% ની જીત સાથે ભાજપ બન્યો મહારાષ્ટ્રનો અજેય કિલ્લો
Exit mobile version