Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આ જિલ્લાઓમાં 1 જૂન પછી પણ યથાવત્ રહેશે લૉકડાઉન; વિજય વડેટ્ટીવારે આપી આ માહિતી, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

મહારાષ્ટ્રમાં લોકડાઉન પૂરું થવાની મુદત નજીક આવતાં જ હવે 1 જૂન બાદ શું થશે એની ચર્ચાઓ તીવ્ર બની છે. હવે આ વિશે રાજ્યના રાહત અને પુનર્વિકાસપ્રધાન વિજય વડેટ્ટીવારે એક મહત્ત્વપૂર્ણ જાણકારી આપી છે.

એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં વિજય વડેટ્ટીવારે જણાવ્યું છે કે “રાજ્યમાં પ્રતિબંધો એકસાથે નહિ, પણ ત્રણથી ચાર તબક્કમાં હળવા કરવામાં આવશે, પરંતુ રેડ ઝોનમાં રહેલા તમામ જિલ્લાઓમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહિ.” ઉપરાંત મુંબઈમાં લોકલ ટ્રેન સામાન્ય જનતા માટે શરૂ કરવી હજી જોખમકારક હોવાનો મત વડેટ્ટીવારે વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યના ૧૪ જિલ્લાઓ રેડ ઝોનમાં છે. એથી આ તમામ જિલ્લાઓમાં કોઈપણ છૂટ મળવાની શક્યતા નથી. પરિસ્થિતિ સુધર્યા બાદ એનું વિશ્લેષણ થયા બાદ જ આ વિસ્તારોમાં છૂટછાટ આપવામાં આવશે.

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version