Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આ જિલ્લાઓમાં 1 જૂન પછી પણ યથાવત્ રહેશે લૉકડાઉન; વિજય વડેટ્ટીવારે આપી આ માહિતી, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

મહારાષ્ટ્રમાં લોકડાઉન પૂરું થવાની મુદત નજીક આવતાં જ હવે 1 જૂન બાદ શું થશે એની ચર્ચાઓ તીવ્ર બની છે. હવે આ વિશે રાજ્યના રાહત અને પુનર્વિકાસપ્રધાન વિજય વડેટ્ટીવારે એક મહત્ત્વપૂર્ણ જાણકારી આપી છે.

એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં વિજય વડેટ્ટીવારે જણાવ્યું છે કે “રાજ્યમાં પ્રતિબંધો એકસાથે નહિ, પણ ત્રણથી ચાર તબક્કમાં હળવા કરવામાં આવશે, પરંતુ રેડ ઝોનમાં રહેલા તમામ જિલ્લાઓમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહિ.” ઉપરાંત મુંબઈમાં લોકલ ટ્રેન સામાન્ય જનતા માટે શરૂ કરવી હજી જોખમકારક હોવાનો મત વડેટ્ટીવારે વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યના ૧૪ જિલ્લાઓ રેડ ઝોનમાં છે. એથી આ તમામ જિલ્લાઓમાં કોઈપણ છૂટ મળવાની શક્યતા નથી. પરિસ્થિતિ સુધર્યા બાદ એનું વિશ્લેષણ થયા બાદ જ આ વિસ્તારોમાં છૂટછાટ આપવામાં આવશે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version