Lok Sabha Election 2024 : મહાવિકાસ આઘાડીમાં પડી ફૂટ… હવે કોંગ્રેસના આ દિગ્ગજ નેતા મહારાષ્ટ્ર સરકાર સાથે હાથ મિલવવા તૈયાર..

Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણીની જાહેરાત હજુ થઈ નથી. જો કે તમામ પક્ષો આગામી ચૂંટણી માટે કમર કસી રહ્યા છે. તેવી જ રીતે, મહારાષ્ટ્રમાં શિવસેનામાં આંતરિક બળવો અને નેશનાલિસ્ટ પાર્ટીમાં પડેલ વિભાજનને જોતાં મહારાષ્ટ્રમાં આ વર્ષની લોકસભા ચૂંટણી કપરી હશે તેમાં કોઈ શંકા નથી .

by Bipin Mewada
Lok Sabha Election 2024 Maha Vikas Aghadi Falls... Now this veteran leader of Congress is ready to join hands with the Maharashtra government.

News Continuous Bureau | Mumbai

Lok Sabha Election 2024 : મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચે હજુ સુધી લોકસભા ચૂંટણીની જાહેરાત કરી નથી. જો કે તમામ પક્ષો આગામી ચૂંટણી માટે કમર કસી રહ્યા છે. તેવી જ રીતે, મહારાષ્ટ્રમાં શિવસેનામાં આંતરિક બળવો અને નેશનાલિસ્ટ પાર્ટી  ( NCP ) માં પડેલ વિભાજનને જોતાં મહારાષ્ટ્રમાં આ વર્ષની લોકસભા ચૂંટણી કપરી હશે તેમાં કોઈ શંકા નથી . હાલમાં, રાજ્યમાં બે શાસક પક્ષો એટલે કે મહાયુતિ  ( ભાજપ   , શિંદે જૂથ , અજિત પવાર જૂથ ( Ajit Pawar Group ) ) અને મહા વિકાસ અઘાડી ( Maha Vikas Aghadi ) ઠાકરે જૂથ, કોંગ્રેસ, એનસીપી (શરદ પાવરા જૂથ)) વચ્ચે જોરદાર લડાઈ થશે. જો કે મહાવિકાસ અઘાડીની સીટ ફાળવણી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ મહાવિકાસ અઘાડીના સહયોગીઓએ લોકસભા ચૂંટણી માટે મતવિસ્તારો પર દાવો કરવાનું શરૂ કરી દીધું છે. તેથી એવી ચર્ચા ચાલી રહી છે કે દક્ષિણ મુંબઈની બેઠક પરથી શિવસેના ઠાકરે જૂથ  અને કોંગ્રેસ ( Congress ) વચ્ચે દાવા -પ્રતિ દાવા જોવા મળી રહ્યા છે. 

ઉ્લ્લેખનીય છે કે ભાજપને હરાવવા માટે વિપક્ષો એક થયા છે. ત્યારે શું હવે ભાજપને છોડી વિપક્ષો જ એકબીજાની સામે ઉભા થવા માંડ્યા છે. હાલ મુંબઈમાં આવી જ સ્થિતિ ઉભી થઇ છે. તેનું કારણ લોકસભા બેઠકોની ( Lok Sabha seats ) ફાળવણી છે. દક્ષિણ મુંબઈની બેઠક પર કોંગ્રેસ અને શિવસેના બન્ને દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવાઓના આધારે મહાગઠબંધનમાં ભંગાણ પડ્યું હોવાની ચર્ચાઓ થવા લાગી છે. થોડા દિવસો પહેલા, ઠાકરે જૂથના નેતાઓ આદિત્ય ઠાકરે અને સંજય રાઉતે દક્ષિણ મુંબઈ મતવિસ્તાર પર પોતાનો દાવો રજૂ કર્યો હતો. ત્યારથી કોંગ્રેસના નેતા ( Milind Deora ) મિલિંદ દેવરાની નારાજગી બહાર આવવા લાગી હતી. તેથી મિલિંદ દેવરા હવે કોંગ્રેસ છોડશે તેવું કહેવામાં આવી રહ્યું છે . સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કોંગ્રેસના નેતા મિલિંદ દેવરા હાલ ભાજપ ( BJP ) અને શિંદે જુથના  ( Shinde Group ) સંપર્કમાં છે. એવી માહિતી છે કે ઠાકરે જૂથે ( Thackeray Group ) દક્ષિણ મુંબઈ પર દાવો કર્યો હોવાથી મિલિંદ દેવરા નારાજ છે.

સંજય રાઉતના દક્ષિણ મુંબઈ બેઠક પર નિવેદન બાદ આ મામલો ચર્ચાયો..

એક અહેવાલ મુજબ, થોડા દિવસો પહેલા સંજય રાઉતે એક નિવેદન આપ્યું હતું કે દક્ષિણ મુંબઈ પર અમારો (ઠાકરે જૂથ) દાવો છે અને ત્યાંના ઉમેદવાર પણ અમારો જ હશે. તેથી સંજય રાઉતના આ નિવેદન બાદ મિલિંદ દેવરાએ બીજો રસ્તો અપનાવ્યો છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મિલિંદ દેવરાને મહાયુતિ દ્વારા તેમની પાર્ટીમાં જોડાવવાની ઓફર કરવામાં આવી છે. આ રીતે , એવી માહિતી છે કે દેવરા હાલમાં એકનાથ શિંદે અને ભાજપના સંપર્કમાં છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આગામી થોડા દિવસોમાં જ પોતાનો નિર્ણય લેશે અને કઈ પાર્ટી પ્રવેશી રહ્યા છે તેની જાહેરાત પણ કરશે.

આ સમાચાર પણ વાંચો :  Bhopal: ભોપાલમાં સાત મહિનાના સૂતેલા માસૂમ બાળક સાથે રખડતા કૂતરાઓએ કર્યું આ કામ.. પોલીસ તપાસ ચાલુ.

નોંધનીય છે કે, મિલિંદ દેવરા પૂર્વ મંત્રી અને કોંગ્રેસના સાંસદ છે. દક્ષિણ મુંબઈમાં ગુજરાતી, મારવાડી, જૈન સમુદાય મોટાભાગે મિલિંદ દેવરાના સંપર્કમાં છે. ઉપરાંત, દેવરાએ ત્યાં સતત કામ કર્યું છે, મિલિંદ દેવરાને મેટ્રો પોલીટીકલ ચહેરા તરીકે જોવામાં આવે છે. તેમણે કોલાબા, વરલી, લાલબાગ, પરેલના વિસ્તારોમાં ખૂબ જ સારું કામ કર્યું છે. તેવી જ રીતે મહાયુતિને પણ આવા જ ચહેરાની જરૂર છે. તેથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે મહાગઠબંધનમાં ઘટક પક્ષો મિલિંદ દેવરને એક વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More