Site icon News Continuous Bureau | Mumbai

Lok sabha Election: મહારાષ્ટ્રમાં પાર્ટી ચિન્હથી રંગેલી દિવાલો જાતે સાફ કરો, નહીં તો થશે કડક કાર્યવાહી.. પુણે કલેકટરનું મોટુ નિવેદન..

Lok sabha Election: આ પાર્ટીના ચિન્હો દ્વારા રંગેલા ભીંતચિત્રો શહેરને ગંદુ કરી રહી હોવાની હાલ ટીકા થઈ રહી છે. એનસીપી શરદચંદ્ર પવારની પાર્ટી અને શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથે પણ વિરોધ કર્યો હતો.

Lok sabha Election Clean the walls painted with party symbols in Maharashtra yourself, otherwise strict action will be taken.. Pune Collector's big statement..

Lok sabha Election Clean the walls painted with party symbols in Maharashtra yourself, otherwise strict action will be taken.. Pune Collector's big statement..

News Continuous Bureau | Mumbai

Lok sabha Election: લોકસભાની ચૂંટણીને પગલે ભાજપના પદાધિકારીઓને જાહેર અને ખાનગી સોસાયટીઓની દિવાલો પર પાર્ટી ચિન્હ ( party symbol ) સાથે મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના નારા લગાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પછી શહેરના મોટાભાગના અધિકારીઓએ દિવાલને રંગવાનું શરૂ કરી દીધું છે. આથી શહેરભરની દિવાલો ( walls ) પર ભાજપના કમળના ચિન્હ સાથેની દિવાલની તસવીરો દેખાવા લાગી છે. 

Join Our WhatsApp Channel

આ પાર્ટીના ચિન્હો દ્વારા રંગેલા ભીંતચિત્રો શહેરને ગંદુ કરી રહી હોવાની હાલ ટીકા થઈ રહી છે. એનસીપી શરદચંદ્ર પવારની પાર્ટી અને શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથે પણ વિરોધ કર્યો હતો. આ સમયે નગરપાલિકાના વહીવટીતંત્રને શહેરને ગંદુ કરનારાઓ સામે ગુનો દાખલ કરવા અને સબંધિત વ્યક્તિને તે દિવાલ ચિત્રો તાત્કાલિક દૂર કરવા આદેશ કરવા માંગ કરવામાં આવી હતી. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

 આચારસંહિતા ( Code of Conduct ) લાગુ પડતાં આ તમામ ભિંત ચિત્રો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે..

આખરે હવે આચારસંહિતા લાગુ પડતાં આ તમામ ભિંત ચિત્રો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે આ દિવાલોને રંગવાનો ખર્ચ શું વહીવટીતંત્રના માથે જવાનો છે? હાલ આવા સવાલો રાજકીય વર્તુળોમાંથી ઉઠી રહ્યા હતા. જેમાં પુણેના કલેક્ટર અને પુણે લોકસભા ચૂંટણી અધિકારી સુહાસ દીવસે ( suhas diwase ) આ વાતનો ખુલાસો કર્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Election: આ વર્ષની લોકસભા ચૂંટણીમાં AIનો ઉપયોગ મોટા પાયે થઈ રહ્યો છે ઉપયોગ, 360થી વધુ સ્ટાર્ટઅપ્સને જન્મ આપ્યો..

ચૂંટણી કાર્યક્રમ વિશે વિગતવાર માહિતી આપવા માટે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં, પુણે લોકસભા ચૂંટણી અધિકારીએ ( Pune Lok Sabha Election Officer ) જણાવ્યું હતું કે રાજકીય કાર્યકરો ( Political activists ) દ્વારા લગાવવામાં આવેલા બોર્ડ અને બેનરો 24 કલાકની અંદર દૂર કરવામાં આવે. જો દીવાલો પર કંઈક લખેલું હોય તો તેને આગામી 72 કલાકમાં સાફ કરો, નહીં તો વહીવટીતંત્ર તેને હટાવી દેશે. પરંતુ પુણે લોકસભા મતવિસ્તારના કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ પ્રેસ કોન્ફરન્સમાં ચેતવણી આપી હતી કે આનો ખર્ચ પાર્ટી પાસેથી જ વસૂલવામાં આવશે અને જો સમયમર્યાદામાં કામ નહી કરવામાં આવે તો કેસ પણ નોંધવામાં આવશે.

જો કે ગત ચૂંટણીમાં મળેલી ફરિયાદો પર વહીવટીતંત્રે શું પગલાં લીધાં? આગામી બે-ત્રણ દિવસમાં તેનો રિપોર્ટ પણ જાહેર કરવામાં આવશે, આગામી ચૂંટણી પારદર્શક રીતે યોજાશે તેવો પણ ચૂંટણી અધિકારીએ દાવો કર્યો હતો.

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
Uddhav Thackeray Jantar Mantar Visit દિલ્હીની ગાદી હલાવવા ઠાકરે પરિવાર રસ્તા પર! CJP આંદોલનને સમર્થન આપવા ઉદ્ધવ ઠાકરેના દિલ્હી પ્રવાસના શું છે રાજકીય માયના?
Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Exit mobile version