Site icon News Continuous Bureau | Mumbai

  Lucknow Airport Accident : એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે વિમાનમાં ખામી સર્જાઈ, વ્હીલમાંથી નીકળવા લાગ્યા તણખા; મુસાફરોના શ્વાસ થયા અધ્ધર

Lucknow Airport Accident : રવિવાર  સવારે લખનૌ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ. ખરેખર, સાઉદી અરેબિયાના જેદ્દાહથી ફ્લાઇટ SV 3112 ના લેન્ડિંગ દરમિયાન, વિમાનના પૈડામાંથી તણખા અને ધુમાડો નીકળવા લાગ્યો. આ વિમાનમાં લગભગ 250 હજ યાત્રીઓ હતા.

Lucknow Airport Accident Sparks Fly From Saudi Airlines Plane During Landing At Lucknow Airport, Major Mishap Averted

Lucknow Airport Accident Sparks Fly From Saudi Airlines Plane During Landing At Lucknow Airport, Major Mishap Averted

News Continuous Bureau | Mumbai

 Lucknow Airport Accident : ઉત્તર પ્રદેશના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રવિવારે સવારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. સાઉદી એરલાઇન્સની ફ્લાઇટ SV 3112 માં લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાઈ. જેદ્દાહથી લખનૌ પહોંચેલા વિમાનમાં 250 હજ યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. રાહતની વાત એ છે કે બધા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી.

Join Our WhatsApp Channel

 મીડિયા રિપોર્ટ અનુસાર, સાઉદી એરલાઇન્સની ફ્લાઇટ SV 3112 રવિવારે સવારે લગભગ 6:30 વાગ્યે લખનૌ એરપોર્ટ પર ઉતરાણ કર્યું. લેન્ડિંગ પછી, ટેક્સીવે પર જતી વખતે, વિમાનના પૈડામાંથી અચાનક તણખા અને ધુમાડો નીકળવા લાગ્યો. પાઇલટે તાત્કાલિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો અને વિમાનને રોક્યું, જેનાથી સંભવિત અકસ્માત ટાળી શકાયો.

 Lucknow Airport Accident : 20 મિનિટ પછી કાબુ મેળવ્યો

એરપોર્ટ ફાયર ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, અને લગભગ 20 મિનિટના પ્રયાસ પછી, પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ હતી. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે પ્લેનની હાઇડ્રોલિક સિસ્ટમમાં લીકેજને કારણે ખામી સર્જાઈ હતી. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે જો આ ખામી ટેકઓફ દરમિયાન થઈ હોત, તો પરિસ્થિતિ ગંભીર બની શકી હોત. પાઇલટની સતર્કતા અને એરપોર્ટની ઇમરજન્સી ટીમની ઝડપી કાર્યવાહીને કારણે મોટો અકસ્માત ટાળી શકાયો. વિમાનમાં સવાર તમામ 250 હજ યાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમની સુવિધા માટે એરપોર્ટ પર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો  : Pune Bridge Collapse News:પુણે અકસ્માત બાદ સફાળું જાગ્યું વહીવટીતંત્ર,  આવી ઘટનાઓને રોકવા માટે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આપ્યો આ આદેશ..

 Lucknow Airport Accident : સાઉદીયા એરલાઇન્સનું નિવેદન

સાઉદીયા એરલાઇન્સે ઘટનાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે ફ્લાઇટ SV 3112 માં ટેકનિકલ ખામીને કારણે લેન્ડિંગ પછી આ પરિસ્થિતિ ઊભી થઈ હતી. એરલાઇન્સે કહ્યું કે મુસાફરોની સલામતી સર્વોપરી છે અને આ બાબતની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. ઘટના પછી, વિમાનમાં સવાર હજ યાત્રીઓમાં થોડા સમય માટે ગભરાટનું વાતાવરણ હતું. જોકે, એરપોર્ટ વહીવટીતંત્રે તાત્કાલિક મુસાફરોને શાંત પાડ્યા અને તેમની સલામતીની ખાતરી આપી. લખનઉ એરપોર્ટના ડિરેક્ટરે કહ્યું, અમારી પ્રાથમિકતા મુસાફરોની સલામતી છે. ટેકનિકલ ખામીની તપાસ માટે નિષ્ણાતોની એક ટીમ બનાવવામાં આવી છે.

PM Narendra Modi। કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રધાનમંત્રી મોદીની વિશેષ પૂજા ડમરુ અને ત્રિશૂળ ભેટ આપી કરાયું અભિવાદન.
Gold Rate| સોનું થયું સસ્તું! ભાવમાં ઘટાડો થતાં ખરીદદારોમાં ખુશી, જુઓ તમારા શહેરના આજના તાજા ભાવ
Maharashtra| મહારાષ્ટ્રમાં ગરમી નો પ્રકોપ,લાતૂરમાં ૩ ના મોત, સમગ્ર રાજ્યમાં ૩૯ કેસ નોંધાતા તંત્ર એલર્ટ
Share Market| શેરબજારમાં તેજીનો માહોલ સેન્સેક્સમાં 358 અંકનો ઉછાળો, નિફ્ટી પણ 101 અંક વધીને બંધ
Exit mobile version