Site icon News Continuous Bureau | Mumbai

રાહુલ ગાંધીની મુસીબતો ઓછી નથી થઈ રહી, હવે કોર્ટે આ કેસમાં આપ્યા તપાસના આદેશ.. જાણો શું છે સમગ્ર મામલો

કોર્ટે રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા દરમિયાન વિનાયક દામોદર સાવરકર વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.

Rahul Gandhi: Rahul Gandhi to contest from Amethi in 2024, claims UP Congress chief

Rahul Gandhi: થઇ ગયું નક્કી? રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે, યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે કરી જાહેરાત..

News Continuous Bureau | Mumbai

મંગળવારે ઉત્તર પ્રદેશની લખનઉ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે દાખલ કરાયેલા ગુનાની તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા દરમિયાન વિનાયક દામોદર સાવરકર વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.

Join Our WhatsApp Channel

એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અંબરીશ કુમાર શ્રીવાસ્તવે CrPCની કલમ 156 (3) હેઠળ એડવોકેટ નૃપેન્દ્ર પાંડે દ્વારા દાખલ કરાયેલી અરજી પર આદેશ આપ્યો હતો. કોર્ટે હઝરતગંજ પોલીસ સ્ટેશનને ઈન્સ્પેક્ટર-રેન્કના અધિકારી વતી આ મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 2 જૂને થશે.

અરજીમાં શું કહેવામાં આવ્યું?

અરજદારે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે 17 નવેમ્બરે રાહુલ ગાંધીએ વિનાયક દામોદર સાવરકરને અંગ્રેજોના સેવક ગણાવ્યા અને કહ્યું કે સમાજમાં નફરત ફેલાવવા માટે તેમને અંગ્રેજો પાસેથી પેન્શન મળ્યું છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે વીર સાવરકર એક નીડર સ્વાતંત્ર્ય સેનાની હતા, જેમણે ભારત માતાને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે અમાનવીય અત્યાચાર સહન કર્યા હતા.

રાહુલ ગાંધીએ વીર સાવરકરનું અપમાન કર્યું હતું અને હીનતાની લાગણી ફેલાવવા માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરીને દ્વેષપૂર્ણ ટિપ્પણી કરી હતી, એમ ફરિયાદ પક્ષે જણાવ્યું હતું. મહાત્મા ગાંધીએ વીર સાવરકરને દેશભક્ત કહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી તેમના નિવેદનોથી તેમની વિરુદ્ધ બિનજરૂરી પ્રચાર કરીને સામાજિક વિખવાદ અને નફરત પેદા કરી રહ્યા છે. પરિણામે તેને (ફરિયાદી) માનસિક યાતના ભોગવવી પડી છે.

આ સમાચાર પણ વાંચો:  જો રાજીનામું પાછું ખેંચવામાં નહીં આવે, તો શરદ પવારના હાથમાં ‘આ’ અધિકારો ક્યારેય નહીં હોય

રાહુલ ગાંધીએ શું કહ્યું?

ગત નવેમ્બરમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં વીર સાવરકર વિશે નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે સાવરકરે અંગ્રેજોને મદદ કરી હતી. તેમણે અંગ્રેજોને પત્ર લખ્યો કે, હું તમારો નોકર બનવા માંગુ છું. તેણે ડરના માર્યા માફીના કાગળ પર સહી કરી લીધી હતી. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન એવું નિવેદન આપ્યું હતું કે, આવું કરીને તેમણે મહાત્મા ગાંધી અને અન્ય નેતાઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version