Site icon

લુધિયાણા વિસ્ફોટનો માસ્ટર માઈન્ડ પકડાયો આ દેશથી, મુંબઈ સહિત અનેક શહેરો નિશાના પર હોવાનો કર્યો ચોંકાવનારો ખુલાસો ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

 મંગળવાર. 

લુધિયાણાની કોર્ટની ઈમારતમાં ગયા અઠવાડિયામાં  વિસ્ફોટ થયો હતો. આ  પ્રકરણમાં એક વ્યક્તિની પોલીસે જર્મનીથી ધરપકડ કરી છે. જસવિંદર સિંહ મુલ્તાની નામનો આ આરોપી આતંકી પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ સંગઠન સાથે જોડાયેલો છે. 
જસવિંદર સિંહને લુધિયાણા કોર્ટમાં થયેલા વિસ્ફોટનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. તે દિલ્હી અને મુંબઈમાં પણ આતંકી હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ભારત સરકારની વિનંતી પર જર્મની પોલીસે જસવિંદર સિંહની ધરપકડ કરી હતી. તેના પર આરોપ છે કે  તે પાકિસ્તાની એજેન્સી આઈએસઆઈના ઈશારા પર કામ કરતો હતો. તે દિલ્હી સહિત ભારતના અન્ય શહેરોમાં આતંકી પ્રવૃત્તિ ચલાવવાનું ષડયંત્ર રચી રહ્યો હતો. 
પોલીસ અધિકારીઓના કહેવા મુજબ 45 વર્ષના જસવિંદર મુલ્તાની એસએફજેના સંસ્થાપક  ગુરપતવંત સિંહ પન્નુનો નજીકનો માણસ ગણાય છે, જે અલગાવવાદી પ્રવૃત્તિઓમાં જોડાયેલો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, હવે આ મિનિસ્ટર આવ્યા કોરોનાની ચપેટમાં. જાણો વિગત

લુધિયાણા કોર્ટના બીજા માળા પર આવેલા શૌચાલયમાં 23 ડિસેમ્બર 2021ના વિસ્ફોટ થયો હતો. જેમાં એકનું મોત થયું હતું. તપાસ એજેન્સીને શક હતો કે મૃતકનો જ વિસ્ફોટમાં હાથ હોવો જોઈએ. બોમ્બને એસેમ્બલ કરતા સમયે વિસ્ફોટ થયો હોવાનું કહેવાય છે.

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version