Site icon News Continuous Bureau | Mumbai

મધ્ય પ્રદેશમાં હવે હિન્દુ છોકરીને ફોસલાવી તો ખેર નથી.. એવો કડક કાયદો બનાવ્યો કે લવ જેહાદની દુકાન બંધ થશે.. જાણો કાયદાની વિગત… 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
26 ડિસેમ્બર 2020 

શિવરાજસિંહ ચૌહાણ કેબિનેટે મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી વિશેષ બેઠક બાદ 'લવ જેહાદ' કાયદો અથવા સાંસદ ફ્રીડમ ઓફ રિલીઝન બિલ 2020 ને મંજૂરી આપી છે. નવો કાયદો સગીર અથવા નીચલી જાતિની મહિલાનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવા માટે 2થી10 વર્ષની કેદની સજા આપશે. 

Join Our WhatsApp Channel

મધ્યપ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે, "નવા કાનૂન, ફ્રીડમ ઓફ રિલિજિયન બિલ 2020 હેઠળ, સગીર, મહિલા અથવા અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના કોઈ પણ વ્યક્તિનું બળજબરીથી રૂપાંતર કરવાથી ઓછામાં ઓછી 2-10 વર્ષની જેલની સજા અને 50,000 નો દંડ કરાશે." 

#.. બિલના મુખ્ય મુદ્દા .. 

@.. લાલચ આપીને, ધમકી આપીને ધર્મપરિવર્તન કરવું અને લગ્ન કરવા બદલ 10 વર્ષની સજાની જોગવાઈ. આ ગુનો બિનજામીનપાત્ર રહેશે. 

@.. ધર્મપરિવર્તન કર્યા બાદ થનારા લગ્નના 2 મહિના પહેલાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને ધર્મપરિવર્તન અને લગ્ન કરવા અને લગ્ન કરાવનારા બંને પક્ષોને લેખિતમાં અરજી કરવાની રહેશે. 

@.. અરજી કર્યા વિના ધર્મપરિવર્તન કરાવનારા ધર્મગુરુ, કાઝી, મૌલવી અથવા પાદરીઓને પણ 5 વર્ષ સુધીની કેદની પણ જોગવાઈ છે. 

@.. ધર્મપરિવર્તન અને બળજબરીપૂર્વક લગ્નની ફરિયાદ પીડિત, માતાપિતા, પરિવારજન દ્વારા કરી શકાય છે. 

@.. જે લોકો મદદ કરે છે તેમને પણ મુખ્ય આરોપી બનાવવામાં આવશે. તેમને ગુનેગારો માનતા મુખ્ય આરોપીની જેમ સજા કરવામાં આવશે. 

@.. બળજબરીથી ધર્મપરિવર્તન અથવા લગ્ન કરાવનારી સંસ્થાઓની નોંધણી રદ કરવામાં આવશે. 

@.. આ પ્રકારના ધર્મપરિવર્તન અને લગ્ન કરાવનારી સંસ્થાઓને દાન આપનારી સંસ્થાઓ કે દાન લેનારી સંસ્થાઓની નોંધણી પણ રદ કરવામાં આવશે. 

@.. આ પ્રકારના ધર્મપરિવર્તન અને લગ્ન માટે મદદ કરનારા તમામ આરોપીઓ સામે મુખ્ય આરોપીની જેમ કાર્યવાહી કરવામાં આવશે. 

@.. પોતાના ધર્મમાં પાછા ફરવા પર તેને ધર્મપરિવર્તન માનવામાં આવશે નહીં. 

@.. પીડિત મહિલા અને જન્મેલા બાળકને ભરણપોષણનો અધિકાર મેળવવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. 

@.. આરોપીએ જ નિર્દોષતાના પુરાવા રજૂ કરવાના રહેશે. ઉત્તરપ્રદેશમાં પણ આરોપીને 10 વર્ષની સજા. 

ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં ખોટી રીતે ધર્મપરિવર્તન પર પ્રતિબંધ મૂકવાનો કાયદો અમલમાં આવ્યો છે. યોગી આદિત્યનાથે વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન કહ્યું હતું કે મહિલાઓને સુરક્ષા આપવાના હેતુથી રાજ્યમાં લવ-જેહાદ સામે કાયદો લાવવામાં આવશે. હરિયાણા, કર્ણાટક અને ભાજપશાસિત કેટલાંક અન્ય રાજ્યોમાં પણ આવા કાયદા લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે…

Amit Thackeray Case મુંબઈમાં રાજકારણ ગરમાયું મનસે નેતા અમિત ઠાકરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ, પીએમ મોદીની તસવીર હટાવવાનો મામલો બન્યો મોટો વિવાદ!
Amit Thackeray Mahim BJP Protest માહિમમાં રાજકારણ ગરમાયું અમિત ઠાકરે સામે ભાજપનું મોટું આંદોલન, સામસામે આવી ગયા મનસે અને ભાજપના કાર્યકર્તાઓ!
Marathon Barefoot In Saree “દીકરીનું ભણતર જ મારી જીત છે…” ખુલ્લા પગે અને સાડીમાં મેરેથોન જીતનારી મુંબઈની માતાની પ્રેરણાદાયી કહાની
Eknath Shinde Delhi Visit સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલાં રાજકારણમાં ગરમાવો એકનાથ શિંદે અચાનક દિલ્હી રવાના, કાનૂની વ્યૂહરચના પર નજર!
Exit mobile version