Site icon

સરકારના 100માં દિવસે શિવરાજ કેબિનેટ મંત્રીમંડળનું મધ્યપ્રદેશમાં વિસ્તરણ, 20 કેબિનેટ અને 8 રાજ્ય પ્રધાનોએ શપથ લીધા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

2 જુલાઈ 2020

કોંંગ્રેસની સરકાર ઉથલાવી મુખ્યમંત્રી બનેલા મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ મંત્રીમંડળનું 100 દિવસ પછી વિસ્તરણ કરવામાં આવ્યું છે. કુલ 28 નવા મંત્રીઓ બન્યા છે. જેમાં 12 મંત્રીઓ કોંગ્રેસમાંથી આવેલા જ્યોતિરાદિત્ય સિંધીયા ગ્રુપના છે. રાજભવનમાં આયોજિત આ સમારોહમાં પદ અને ગોપનીયતાના શપથ લેનારા મંત્રીઓમાં ભાજપના 16, સિંધિયા સમર્થક 9 અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 3 નેતા સામેલ છે. જોકે શિવરાજસિંહના ગત મંત્રીમંડળના પ્રમુખ ચહેરાઓ ગોપાલ ભાર્ગવ, ભૂપેન્દ્રસિંહ, યશોધરા રાજે સિંધિયા, વિજય શાહ સાથે આ વખતે નવા નેતાઓને પણ તક આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભાજપના કુલ 16 નેતાઓમાંથી 7 શિવરાજની ગત કેબિનેટમાં મંત્રી રહી ચૂક્યા છે જ્યારે 9 નવા ચહેરા છે. જેમણે પહેલીવાર મંત્રીપદના શપથ લીધા. સિંધિયા સમર્થક 9 નેતાઓ પણ શિવરાજ કેબિનેટનો ભાગ બન્યાં છે. જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 3 નેતાઓને પણ શિવરાજ મંત્રીમંડળમાં શામેલ કરવા પર ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ પોતાની સહમતિ આપી છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/38gxlQ1 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com       

Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Dularchand Yadav: પોસ્ટમોર્ટમમાં મોટો ખુલાસો! ગોળીથી નહીં પણ આ કારણ થી થયું હતું દુલારચંદનું મૃત્યુ
Exit mobile version