ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 જુન 2020
શનિવારે મહારાષ્ટ્ર સરકારે કોવિડ -19 પરીક્ષણો (આરટી-પીસીઆર) ની મહત્તમ કિંમત 2200 રૂપિયા કરી છે. જયારે હોમ ડિલીવરી માટે વધુમાં વધુ મહત્તમ ભાવ રૂપિયા 2800 રાખવાની ઘોષણા મહારાષ્ટ્ર ના CM ઉદ્ધવ ઠાકરે એ કરી છે. અગાઉ 26 મેના રોજ, આઇસીએમઆરએ COVID-19 ને શોધવા માટે ઉપયોગમાં લેવામાં આવતી રીઅલ-ટાઇમ પોલિમરેઝ ચેઇન રિએક્શન (RT-PCR) પરીક્ષણ માટે રૂ .4,500 ની કિંમત નક્કી કરી હતી. ત્યારબાદ તે રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને ખાનગી લેબ્સ સાથે પરામર્શ કરીને COVID-19 પરીક્ષણ માટે પ્રાઇસ કેપ નક્કી કરી સાથે કામ કરવાની સલાહ આપી હતી. નોંધનીય છે કે ભારતે હાલમાં છેલ્લાં 24 કલાકમાં 1,43,737 નમૂનાઓ સાથે 55,07,182 નમૂનાઓનું પરીક્ષણ કર્યું છે.
મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટતા કરી છે કે રાજ્ય સરકારે લોકડાઉનની ફરીથી જાહેરાત કરી નથી અને આથી જ વધી રહેલા ચેપને ધ્યાન મા રાખી વધુને વધુ લોકો કોરોનાની ટેસ્ટ કરાવે એ હેતુ થી કોરોના ટેસ્ટ ના ભાવ ઘટાડવામાં આવ્યાં છે. સાથે જ લોકોને COVID-19 સામેની સલામતી અને સાવચેતી અંગેની સરકારની ગાઇડલાઈનનું પાલન કરવા તાકીદ કરી હતી.
Join Our WhatsApp Community