મહારાષ્ટ્ર એટીએસની મોટી કાર્યવાહી: આતંકી કાવતરા કેસમાં વધુ એક સંદિગ્ધ આતંકવાદીની કરી ધરપકડ.. જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021

ગુરુવાર

મહારાષ્ટ્ર ATS એ આતંકી કાવતરાના કેસમાં અન્ય એક આરોપીની ધરપકડ કરી છે. 

એક પોલીસ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર એટીએસએ આ મહિનાની શરૂઆતમાં આ મામલે કેસ નોંધ્યો હતો. આ અંતર્ગત આ ત્રીજી ધરપકડ છે. 

આ કેસ ગેરકાયદે પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) ની કલમ 18 હેઠળ નોંધવામાં આવ્યો હતો.

આ આરોપી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલી ખેરવાડીનો રહેવાસી છે અને વ્યવસાયે દરજી છે.  

આ સાથે તેની પાસેથી કેટલાક આક્રમક દસ્તાવેજો પણ મળી આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દેશના જુદા જુદા ભાગોમાં હુમલા કરવાની યોજના ઘડતા છ શકમંદોની ધરપકડ કરી અને આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યા બાદ મહારાષ્ટ્ર એટીએસ દ્વારા તેમની વિરુદ્ધ UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો.

આ દેશના પૂર્વ રાષ્ટ્રપતિને ચૂંટણીમાં ગેરકાયદેસર નાણા વાપરવા બદલ કોર્ટે ફટકારી 1 વર્ષની સજા.. જાણો વિગતે 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More