Maharashtra Cabinet Expansion : આ વખતે હું ડેપ્યુટી સીએમ છું, ;મને આ મંત્રાલય જોઈએ એકનાથ શિંદેની માંગથી ભાજપની મુશ્કેલી વધી…

Maharashtra Cabinet Expansion :મહાયુતિના સાથી પક્ષોમાં પોર્ટફોલિયોની વહેંચણી અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના દ્વારા ગૃહ મંત્રાલય માટેના દબાણ વચ્ચે, રવિવાર સુધીમાં મંત્રી પરિષદની રચના અંગે સ્પષ્ટતા અપેક્ષિત છે.

by kalpana Verat

  News Continuous Bureau | Mumbai

Maharashtra Cabinet Expansion : મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામોના 13 દિવસ બાદ મહાયુતિ ગઠબંધનની સરકાર બની છે. મંત્રી પદને લઈને 10 દિવસથી વધુ સમય સુધી ગજગ્રાહ ચાલી રહ્યો હતો. 5 ડિસેમ્બરે દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા જ્યારે એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. આ પછી પણ મામલો અટક્યો હોય તેમ લાગી રહ્યું છે. ગૃહ મંત્રાલયને લઈને વાત બગડી શકે છે. 

મીડિયા રિપોર્ટ મુજબ મહારાષ્ટ્ર સરકારની રચના પછી, મંત્રાલયો અને મહત્વપૂર્ણ મંત્રી પદોના વિભાજનને લઈને લડાઈ તેજ થઈ ગઈ છે. એકનાથ શિંદે સરકારની રચના પહેલાથી જ ગૃહ મંત્રાલયની માંગ કરી રહ્યા છે, જ્યારે ઉપમુખ્યમંત્રી બન્યા બાદ તેમણે ફરી એકવાર ભાજપ સમક્ષ ગૃહ મંત્રાલયની માંગણી કરી છે. જેણે ભાજપની મુશ્કેલીમાં વધારો કર્યો છે. અહેવાલ છે કે દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ 11 કે 12 ડિસેમ્બરે થવાની શક્યતા છે.

આ દરમિયાન શિવસેના નેતા ઉદય સામંતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કોને મંત્રી બનાવવો અને કોને નહીં, તે વાસ્તવમાં મુખ્યમંત્રીનો નિર્ણય છે. સીએમ બંને ડેપ્યુટી સીએમ સાથે બેસીને આ અંગે નિર્ણય લેશે. કોણે કહ્યું કે અમને ગૃહ મંત્રાલયની જરૂર છે? સીએમ અને ડેપ્યુટી સીએમ વિભાગો અંગે નિર્ણય લેશે.

Maharashtra Cabinet Expansion :ત્રણેય નેતાઓ બેસીને નિર્ણય લેશે

શિવસેનાના નેતા ઉદય સામંતે કહ્યું, 15 દિવસ પહેલા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 288 ધારાસભ્યો ચૂંટાયા હતા. શનિવારે વિધાનસભા ભવન ખાતે તેમનો શપથ ગ્રહણ સમારોહ યોજાઈ રહ્યો છે. આ 3 દિવસનું સત્ર છે અને મને લાગે છે કે આ સત્રમાં વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી પણ યોજાવાની છે.  ત્રણેય નેતાઓ બેસીને નિર્ણય લેશે કે કેબિનેટનું વિસ્તરણ ક્યારે થશે.. 

આ સમાચાર પણ વાંચો: Mumbai Hit and run : મુંબઈમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના, ઝડપભેર પાણીના ટેન્કરે મારી ટક્કર; 25 વર્ષીય મોડલનો લીધો જીવ.

Maharashtra Cabinet Expansion : મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર

ભાજપના ધારાસભ્ય કાલિદાસ કોલંબકરે શુક્રવારે પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા હતા. 70 વર્ષના કોલંબકર 9 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ આ નવી વિધાનસભાના સૌથી વરિષ્ઠ સભ્ય છે. શનિવારથી વિધાનસભાનું ત્રણ દિવસનું વિશેષ સત્ર શરૂ થઈ રહ્યું છે. પ્રોટેમ સ્પીકર ગૃહમાં 288 ધારાસભ્યોને શપથ લેવડાવશે. આ પછી 9 ડિસેમ્બરે 15મી વિધાનસભા માટે અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More