Site icon

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પ્લાઝ્મા થેરાપી લઈ રહ્યા છે, જાણો શું છે આ ઉપચાર? અને તે કેવી રીતે કાર્ય કરે છે?

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

27 ઓક્ટોબર 2020

બિહાર ચૂંટણી પ્રચારમાં લાગેલી ભારતીય જનતા પાર્ટી ને મોટો ઝટકો લાગ્યો છે. બિહાર ભાજપના ચૂંટણી પ્રભારી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ કોરોનાથી સંક્રમિત થયા બાદ હાલ પ્લાઝમાં થેરેપી લઈ રહયાં છે. તેઓ કન્વર્ઝન્ટ પ્લાઝ્મા થેરપી કરાવી ચૂક્યા છે. વાયરલ ચેપને રોકવા માટે આ ઉપચાર ખૂબ અસરકારક માનવામાં આવે છે. તેમણે રવિવારે પ્લાઝ્મા થેરેપીનો 200 એમએલનો પ્રથમ ડોઝ અને સોમવારે બીજો ડોઝ લીધો છે. 

આઇસીએમઆરએ જણાવ્યું છે કે કોવિડ -19 માટેના પ્લાઝ્મા થેરાપીને માનક સારવાર પ્રોટોકોલોમાંથી બાકાત કરી શકાય છે. કોન્વીલસન્ટ પ્લાઝ્મા થેરાપી એ કોવિડ-19 ચેપની સારવાર માટે એક પ્રાયોગિક પ્રક્રિયા છે. પ્લાઝ્મા ડોનેટ કરવું એ રક્તદાન કરવા જેવું જ છે 

પ્લાઝ્મા ઉપચાર તંદુરસ્ત વ્યક્તિમાંથી માંદા વ્યક્તિમાં પ્રતિરક્ષા સ્થાપિત કરીને દર્દીઓની સારવાર કરે છે. આ ઉપચારમાં, એન્ટિબોડીઝનો ઉપયોગ ગંભીર રોગોવાળા વ્યક્તિની સારવાર માટે કરવામાં આવે છે, જ્યારે એન્ટિબોડી કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિમાં સ્થાનાંતરિત થાય છે, ત્યારે તેની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આનાથી કોરોના ચેપ મટાડવાની શક્યતા વધી જાય છે.

Fisherman Safety: મહારાષ્ટ્ર સરકારે માછીમારો માટે લીધો ‘આ’ મોટો નિર્ણય,જાણો શું છે નવો નિર્ણય
Maharashtra Rains: વરસાદ ને કારણે મરાઠવાડા થયું જળબંબાકાર, પૂરની સ્થિતિને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા
GujaratHealthScheme: સરકારની આર.બી.એસ.કે.યોજનાની કમાલઃ દોઢ વર્ષની પ્રિશા આજે સ્વસ્થ બની હસતી-રમતી કિલકિલાટ કરે છે
Mehsana Garba Mahotsav 2025: આર.જે. ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ મહેસાણા ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભવ્યાતિ ભવ્ય ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું
Exit mobile version