Maharashtra CM news : એકનાથ શિંદેની સતારા મુલાકાતનું કારણ આવ્યું બહાર, શિવસેનાના નેતા ઉદય સામંતે જણાવ્યું ક્યારે આવશે પરત…

Maharashtra CM news : મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન શિંદે જૂથના ધારાસભ્ય ઉદય સામંતે મોટું નિવેદન આપ્યું છે. મહાયુતિમાં નારાજગીના સવાલ પર તેમણે કહ્યું કે, કોઈ નારાજગી નથી. એકનાથ શિંદેની તબિયત ખરાબ હોવાને કારણે તેઓ તેમના ઘરે ગયા છે. જરૂર પડશે તો તરત જ પાછા આવશે. ગઈકાલે આદરપૂર્વક બેઠક યોજાઈ હતી. 60 ધારાસભ્યોએ મળીને એનકથ શિંદેને આ સંદેશ આપ્યો છે કે અમે ઈચ્છીએ છીએ કે તેઓ ડેપ્યુટી સીએમ બને. એકનાથ શિંદે પોતે આનો નિર્ણય કરશે.

by kalpana Verat
Maharashtra CM news Shinde is not upset says party colleague Samant as outgoing CM heads for his village

News Continuous Bureau | Mumbai

  Maharashtra CM news :  મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે શુક્રવારે યોજાનારી મહાયુતિની બેઠક મોકૂફ રાખવામાં આવી છે. અટકળો મુજબ હવે આ બેઠક આવતીકાલે એટલે કે શનિવારે યોજાશે. ગુરુવારે મોડી રાત્રે દિલ્હીમાં મહાયુતિના ત્રણેય પક્ષોના મુખ્ય નેતાઓની બેઠક યોજાઈ હતી. જે બાદ આગામી રાઉન્ડની ચર્ચા કરવા માટે મુંબઈમાં બેઠક યોજાઈ હતી. પરંતુ આ બેઠક રદ્દ કરવામાં આવી જ્યારે કેરટેકર મુખ્યમંત્રી એકનાથ શિંદે અચાનક સાતારાની મુલાકાતે ગયા.

Maharashtra CM news : ટૂંક સમયમાં મહારાષ્ટ્ર કેબિનેટને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

એકનાથ શિંદેના સતારા જવા પાછળના કારણ વિશે વાત કરતા શિવસેનાના નેતા ઉદય સામંતે કહ્યું કે અમે સવાર સુધી એકનાથ શિંદે સાથે હતા. આવતીકાલે તે પાછા આવશે અને એવું નથી કે મિટિંગો માત્ર શારીરિક રીતે જ થશે, તે વીડિયો કોન્ફરન્સિંગ, મોબાઈલ દ્વારા પણ થશે. એકનાથ શિંદેએ કહ્યું છે તેમ, મહારાષ્ટ્ર કેબિનેટને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

 Maharashtra CM news : આ તારીખે થશે મુખ્યમંત્રીના નામની જાહેરાત 

અહેવાલ છે કે હવે પહેલા ભાજપ ધારાસભ્ય દળની બેઠક થશે. તેમાં, ભાજપ ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે. આ પછી મહાયુતિની સંયુક્ત બેઠક થશે. 1 ડિસેમ્બરે દિલ્હીથી આવનારા બંને નિરીક્ષકોની હાજરીમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. જણાવી દઈએ કે ગુરુવારે મોડી રાત્રે રાજધાની દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા એકનાથ શિંદેએ કેન્દ્રીય ગૃહમંત્રી શાહ સાથેની વાતચીતને સાર્થક અને સકારાત્મક ગણાવી હતી.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra politics : મહારાષ્ટ્રમાં હવે ક્યાં ફસાયો પેચ? અમિત શાહની દલીલો બાદ પણ એકનાથ શિંદે ન થયા સહમત..; મહાયુતિ કેવી રીતે ઉકેલશે મડાગાંઠ..

  Maharashtra CM news : એકનાથ શિંદેએ સીએમ પદ અંગે શું કહ્યું?

જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ સીએમને લઈને ચાલી રહેલા સસ્પેન્સ વચ્ચે એકનાથ શિંદે 27 નવેમ્બરે મીડિયાની સામે આવ્યા હતા. એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સમાં તેમની સરકાર દરમિયાન થયેલા કામોની ગણતરી કરી. આ દરમિયાન એકનાથ શિંદેએ સીએમ પદને લઈને ભાજપની કોર્ટમાં બોલ નાખ્યો હતો. એકનાથ શિંદેએ કહ્યું હતું કે ભાજપનું ટોચનું નેતૃત્વ મુખ્યમંત્રી પદને લઈને જે પણ નિર્ણય લેશે તે શિવસેના સ્વીકારશે. શિંદેએ કહ્યું કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નિર્ણયને સ્વીકારીએ છીએ. 

મહત્વનું છે કે રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ એ 230 બેઠકો જીતી છે. જેમાં એકલા ભાજપે સૌથી વધુ 132 સીટો જીતી છે. જ્યારે શિવસેનાને 57 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને 41 બેઠકો મળી છે.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More