Maharashtra CM Race : ‘લોકો ઇચ્છે છે કે હું મહારાષ્ટ્રનો સીએમ બનું…’ હવે શું છે એકનાથ શિંદેનો પ્લાન, સરકાર બનાવતા પહેલા કર્યો મોટો દાવો.

Maharashtra CM Race Worked as common man, so people want me back as Maharashtra CM
Maharashtra CM Race Worked as common man, so people want me back as Maharashtra CM

News Continuous Bureau | Mumbai 

Maharashtra CM Race : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત નોંધાવ્યા પછી પણ, મહાયુતિ હજી પણ મુખ્યમંત્રી પદને લઈને કોઈ નિર્ણય લઈ શકી નથી. દરમિયાન, શિવસેના પ્રમુખ એકનાથ શિંદે રાજ્યના ટોચના પદ માટે દાવો કર્યો  છે. જો કે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ગઠબંધનના ત્રણેય પક્ષો સાથે બેસીને સીએમ પદ અંગે નિર્ણય લેશે. અત્યાર સુધી એવા સંકેતો છે કે આ પદ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જઈ શકે છે. 

 Maharashtra CM Race : એકનાથ શિંદે સીએમની ખુરશી છોડવા માંગતા નથી.

મહારાષ્ટ્રમાં મહાયુતિને પ્રચંડ બહુમતી મળી હોવા છતાં સરકાર બનાવવાનો માર્ગ ઉકેલાવાને બદલે વધુ જટિલ બની રહ્યો છે. શિવસેનાના નેતા અને કાર્યવાહક સીએમ એકનાથ શિંદે સીએમની ખુરશી છોડવા માંગતા નથી. તેમણે ફરી એકવાર સ્પષ્ટ કહ્યું છે કે રાજ્યની જનતા તેમને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે.  તેમણે કહ્યું કે તેમણે સામાન્ય માણસની જેમ કામ કર્યું છે, તેથી જ સામાન્ય માણસને લાગે છે કે તેઓ ફરીથી સત્તામાં આવે.

 Maharashtra CM Race : ‘મને મુખ્યમંત્રી બનાવવો જોઈએ’

મીડિયા સાથે વાત કરતા એકનાથ  શિંદેએ કહ્યું કે હું જનતાનો સીએમ છું. હું હંમેશા  કહેતો આવ્યો છું કે હું માત્ર મુખ્યમંત્રી જ નહીં પરંતુ સામાન્ય માણસ છું. હું લોકોની સમસ્યાઓ અને દર્દને સમજું છું અને મેં તે સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. હું સામાન્ય લોકો માટે કામ કરું છું એટલે લોકો માને છે કે મારે સીએમ બનવું જોઈએ. બીજી તરફ, મુંબઈના આઝાદ મેદાનમાં 5 ડિસેમ્બરે નવી સરકારના શપથ ગ્રહણ માટે ભાજપની તૈયારી ચાલી રહી છે. આવી સ્થિતિમાં એકનાથ શિંદેનું આ નિવેદન ઘણું મહત્વનું બની જાય છે.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Politics : મહાયુતિમાં નવા જુનીના એંધાણ? એકનાથ શિંદે અચાનક બેઠક રદ્દ કરી ગયા પૈતૃક ગામ; ભાજપનું વધ્યું ટેંશન..

 Maharashtra CM Race : પીએમ મોદી અને અમિત શાહના નિર્ણયનું સમર્થન કરશે

થોડા દિવસ અગાઉ એક પત્રકાર પરિષદને સંબોધતા શિંદેએ કહ્યું કે શિવસેના રાજ્યમાં નવી સરકારની રચના અંગેના ભાજપના નિર્ણયને સમર્થન કરશે. તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો હતો કે મહારાષ્ટ્રના સીએમ પદ અંગેનો નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના વડા જગત પ્રકાશ નડ્ડાએ લેવાનો છે અને તેઓ આ નિર્ણયનું સંપૂર્ણ સમર્થન કરે છે.

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!