મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી વચ્ચે ટકરાવની ઘટના સામે આવી છે.
મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને દહેરાદૂન જવા માટે સરકારી વિમાનના ઉપયોગની મંજૂરી આપી નથી, જે બાદ ખુદ કોમર્શિયલ ફ્લાઇટ બુક કરાવીને તેમણે જવુ પડ્યુ હતું.
માનવામાં આવી રહ્યુ છે કે મહારાષ્ટ્રમાં હવે આ મામલે રાજકારણ જોવા મળી શકે છે. ભાજપ આ મુદ્દાને લઇને ઉદ્ધવ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે.
