Site icon

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે બિનહરીફ એમએલસી બન્યા, અન્ય આઠ ઉમેદવારો પણ ચૂંટાયા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ 

14 મે 2020

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને આઠ અન્ય રાજ્ય વિધાન પરિષદમાં બિનહરીફ ચૂંટાયા છે. આ સાથે સીએમ ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતા પર બંધારણીય સંકટ ટળી ગયું. સીએમ ઉદ્ધવ ઠાકરે ઉપરાંત વિધાન પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોર (શિવસેના), રણજીતસિંહ મોહિત પાટિલ, ગોપીચંદ પાડલકર, પ્રવીણ દટકે અને રમેશ કરાડ (તમામ ભાજપ) ને પણ ચૂંટાયેલા જાહેર કરાયા છે. ચૂંટાયેલા ઉમેદવારોમાં એનસીપીના શશીકાંત શિંદે અને અમોલ મિતકારી અને કોંગ્રેસના રાજેશ રાઠોડનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા આ કારણે તેમનું વિધાનસભા કે વિધાન પરિષદ બંન્નેમાંથી કોઈ એકમાં સભ્ય બનવુ જરૂરી થઈ ગયું હતું. મહત્વનું છે કે ચૂંટણીના મેદાનમાંથી પોતાનું નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ 14 મે હતી. મંગળવારે ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન અપક્ષ ઉમેદવાર શાહબાઝ રાઠોડનું નામાંકન નામંજૂર કરાયું હતું. આ સિવાય મંગળવારે જ ચાર ઉમેદવારોએ તેમના નામ પાછા ખેંચી લીધા હતા. આ રીતે નવ બેઠકો માટે માત્ર નવ ઉમેદવારો બાકી હતા. જેના કારણે તમામ બિનહરીફ ચૂંટાયા હતા..

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version