Site icon

ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્ર વાસીઓનો ગુડી પડવો નહીં બગાડે. પણ લોકડાઉન પાક્કું છે…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 12 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

મહારાષ્ટ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર થશે તેમાં કોઈ શંકા નથી. આ માટે મુખ્યપ્રધાન તેમજ આરોગ્ય વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે આ સંદર્ભે છેલ્લા 48 કલાકથી નિર્ણયને ટાળવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે મંગળવારે એટલે કે ૧૩ એપ્રિલના દિવસે ગુડી પડવાનો પવિત્ર દિવસ છે. આ દિવસ મહારાષ્ટ્ર અને મુંબઈમાં ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવાય છે. એવું લાગી રહ્યું છે કે ઠાકરે સરકાર આ પર્વ ઊજવાઈ ગયા બાદ લોકો પર લોકડાઉન લાદશે. એવી શક્યતા વર્તાઈ રહી છે કે સરકાર પોતાની તૈયારી માં 24 કલાકનો સમય લે. ત્યાં સુધીમાં મંગળવાર એટલે કે ગુડી પડવો આવી જશે.

ઘોર બેદરકારી!! કાંદિવલીમાં પીપીઇ કીટ નો નિકાલ નાળા માં થાય છે. 

અત્યાર સુધી શું થયું?

૧. શનિવારના દિવસે મુખ્યમંત્રીએ સર્વ દળના નેતાઓની બેઠક બોલાવી તેમજ આ બેઠકમાં સ્પષ્ટ કરી દીધું કે મહારાષ્ટ્ર પાસેલોકડાઉન સિવાય હવે અન્ય કોઈ ઉપાય બાકી નથી.

૨. શનિવારે મોડી રાત્રે તેમજ રવિવારે સવારે ૧૧ વાગે ટાસ્ક ફોર્સ અને આરોગ્ય વિભાગની બેઠક બોલાવી. આ બેઠકમાં લોકડાઉન શી રીતે લાગુ કરવું તેના વિશે વિસ્તૃત ચર્ચા થઈ

Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Exit mobile version