302
Join Our WhatsApp Community
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ખરાબ હવામાનને કારણે સાતારા જિલ્લામાં પૂરગ્રસ્ત પાટણ તાલુકાની મુલાકાત રદ કરવી પડી છે.
સીએમ ઠાકરે હેલિકોપ્ટર દ્વારા પૂણેથી કોયન્નનગર જવાના હતા અને પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વે કરવાનું હતું.
આ ઉપરાંત તેમણે કોયનાનગરની જિલ્લા પરિષદ શાળામાં સ્થાપિત આશ્રય શિબિરમાં અસરગ્રસ્તોને મળવાનો કાર્યક્રમ પણ રાખ્યો હતો.
જોકે, કોયનાનગર વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી તેમનું હેલિકોપ્ટર ઉતરી શક્યું નહી. તેથી તેઓ પરત મુંબઈ ફર્યા છે.
ગત સપ્તાહે ભારે વરસાદને પગલે સતારા જિલ્લાના પાટણ તાલુકાના અંબેઘર અને મીરગાંવ ગામોમાં થયેલા ભૂસ્ખલનમાં 41 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 27 લોકો ગુમ છે
You Might Be Interested In