Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકાર ની કચેરીઓમાં કામકાજનો સમય કાયમી ધોરણે બદલાશે. હવેથી ત્રણ શિફ્ટ… જાણો વિગત..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

24 ફેબ્રુઆરી 2021

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એક ‘બોલ્ડ નિર્ણય’ લેવા જઈ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ આઈએએસ અધિકારીઓને નિર્દેશ આપી દીધા છે કે સરકારી કર્મચારીઓમાં એક-બે નહીં પરંતુ ત્રણ શિફ્ટ શરૂ કરવામાં આવે. કોરોના ને કારણે અનેક લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ એક જ સમયે ઘણા બધા લોકોને ઓફિસમાં બોલાવવાથી કોરોના નો ખતરો વધી જાય છે.હવે રાજ્ય સરકારે કહ્યું છે કે ત્રણ શિફ્ટમાં કામ કરવામાં આવે. પહેલી શિફ્ટ વહેલી સવારથી સાંજ સુધીની હશે જ્યારે કે બીજી શિફ્ટ બપોરથી શરૂ કરીને મોડી સાંજ સુધી હશે. આ સિવાય ત્રીજી શિફ્ટ ઘરેથી કામ કરનાર લોકોની રહેશે.

હવે આ સંદર્ભે રાજ્યના આઇએએસ ઓફિસરો જે  કાંઈ પ્રત્યુત્તર આપે છે તેના આધારે આગળનો નિર્ણય લેવાશે.

 

Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Sonipat Pitbull Attack પિટબુલ એટેક ૬ મહિનાના બાળકને કરડી ખાધું, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો; માલિક સામે પોલીસ ફરિયાદ!
Gujarat Monsoon Fury ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી ૨૪ કલાકમાં ૧૫૦ તાલુકામાં વરસાદ, મોરબીના માળિયામાં સૌથી વધુ ૫.૧૬ ઇંચ ખાબક્યો
Exit mobile version