Maharashtra Elections 2024:શું NDAમાં સીટ વહેંચણી પર ચર્ચા થઈ ગઈ? જાણો, ભાજપથી લઈને NCP… જાણો કોણ કેટલા પર ચૂંટણી લડશે?

Maharashtra Elections 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પ્લાન તૈયાર કરી લીધો છે, પરંતુ સીટ વહેંચણીને લઈને હજુ પણ ચર્ચાઓ ચાલી રહી છે. જો કે, એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ભાજપે તેના સાથીદારો નક્કી કરી લીધા છે. તે એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે.

by kalpana Verat
Maharashtra Elections 2024 BJP Targets 160 Seats, Amit Shah Assures Allies Of Fair Seat Distribution

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પગલે તમામ રાજકીય પક્ષો સક્રિય થઇ ગયા  છે. દરમિયાન અહેવાલ છે કે ભારતીય જનતા પાર્ટી, શિવસેના અને એનસીપીના મહાગઠબંધનમાં સીટની વહેંચણી અંગે વાત થઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટોમાંથી ભારતીય જનતા પાર્ટી 140 થી 150 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છે.

Maharashtra Elections 2024: અમિત શાહે ચૂંટણી લડવાની રણનીતિ બનાવી

ભાજપ સીએમ એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી અને અન્ય કેટલાક નાના પક્ષો સાથે મળીને ચૂંટણી લડશે. અમિત શાહે મુંબઈમાં ભાજપના કોર ગ્રુપ સાથે બેઠક કરીને ચૂંટણી લડવાની રણનીતિ બનાવી છે. આ દરમિયાન સાથી પક્ષો સાથે બેઠક વહેંચણીને લઈને ભાજપના નેતાઓ સાથે ચર્ચા થઈ હતી. હવે રાજ્યની બેઠક બાદ દિલ્હીમાં અજિત પવારની એનસીપી, એકનાથ શિંદેની શિવસેના અને ભાજપ વચ્ચે સીટ શેરિંગ ફોર્મ્યુલાને મંજૂરી આપવામાં આવશે. આવી સ્થિતિમાં ભાજપ આ વખતે કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તેના પર સૌની નજર છે. 

એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના 80 બેઠકો પર અને અજિત પવારની આગેવાની હેઠળની NCP 55 બેઠકો પર ચૂંટણી લડશે તેવું કહેવાય છે. જો અહેવાલોનું માનીએ તો મહાયુતિ ગઠબંધનમાં નાના સહયોગીઓ માટે ત્રણ બેઠકોનો ક્વોટા રાખવામાં આવ્યો છે.

Maharashtra Elections 2024: મહાવિકાસ અઘાડી તરફથી કડક સ્પર્ધા

ભાજપ, શિવસેના અને એનસીપીના મહાગઠબંધનને મહા વિકાસ અઘાડી, કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને શરદ પવારના નેતૃત્વવાળી એનસીપીના ગઠબંધન મહાવિકાસ આઘાડીથી સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. લોકસભા ચૂંટણી 2024માં મહાવિકાસ આઘાડીના શાનદાર પ્રદર્શને દેખીતી રીતે મહાયુતિ ગઠબંધનને વેક-અપ કોલ આપ્યો છે. લોકસભા ચૂંટણી 2024માં મહાવિકાસ અઘાડી ગઠબંધને રાજ્યની 48 બેઠકોમાંથી 30 બેઠકો જીતી હતી. સ્વાભાવિક છે કે, મહાવિકાસ અઘાડીની નજર આ વિધાનસભા ચૂંટણીમાં આ શાનદાર પ્રદર્શનનું પુનરાવર્તન કરવા પર હશે.

Maharashtra Elections 2024: સર્વેમાં શું બહાર આવ્યું?

મહાવિકાસ આઘાડીમાં સમાવિષ્ટ રાજકીય પક્ષોને કેટલી બેઠકો મળશે તે હજુ સુધી જાણી શકાયું નથી. જો કે, મહાગઠબંધનમાં પણ બેઠકો અને મંથનનો દોર ચાલી રહ્યો હોવાનું માનવામાં આવે છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં નવેમ્બર મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે. આ સંદર્ભમાં તાજેતરમાં મહારાષ્ટ્ર નો મૂડ જાણાવા માટે એક સર્વે કરવામાં આવ્યો હતો, જે મુજબ મહાવિકાસ આઘાડીને 141થી 154 બેઠકો મળવાની વાત સામે આવી છે. સર્વેમાં મહાયુતિને 115થી 128 સીટો મળવાનો અંદાજ હતો.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More