Site icon

લો બોલો! મહાવિતરણનાં મીટર ખોટાં હોવાનું સામે આવ્યું, છતાં અત્યાર સુધી ન જાણે કેટલાય લોકોની વીજળી કાપવામાં આવી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 18 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

મહારાષ્ટ્રમાં સવા કરોડથી પણ વધુ ગ્રાહકોને વીજપુરવઠો પૂરો પાડનારી મહાવિતરણ કંપની 70,000 કરોડ રૂપિયાથી પણ વધુ ખોટમાં છે. મહાવિતરણની આ ખોટ માટે ખોટા મીટર રીડિંગ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ખોટા મીટર રીડિંગ માટે જોકે વીજગ્રાહકો દ્વારા મીટરમાં કરવામાં આવતાં ચેનચાડા જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

મહાવિતરણ કંપનીના 42.93 લાખ ગ્રાહકોનો માસિક વીજવપરાશ 30 યુનિટથી પણ ઓછો હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. મહાવિતરણે રાજ્યમાં 1.40 લાખ વીજમીટરની તપાસ કરી હતી, એમાં આ તથ્ય બહાર આવ્યું હતું. એટલે કે ખોટા મીટર રીડિંગને કારણે મહાવિતરણ ખોટ કરી રહી હોવાનું જણાઈ આવ્યું છે.

વીજમીટરની તપાસ દરમિયાન 15 ટકા ગ્રાહકોનો વીજવપરાશ વધુ હોવા છતાં તેમના મીટર 0થી 30 યુનિટની આસપાસ રહ્યાં હતાં. મહાવિતરણે અત્યાર સુધીમાં 1,40,288 મીટરની તપાસ કરી છે. એમાં 22,603 મીટરમાં વિવિધ કારણોને લીધે વીજવપરાશ ખોટો નોંધાઈ રહ્યો છે. મહાવિતરણે એથી તાત્કાલિક આ મીટરોને બદલી ગ્રાહકોના વપરાશ મુજબ બિલ મોકલવાની કાર્યવાહી ચાલુ કરવાની છે.

ઓલિમ્પિક્સમાં હોકી ટીમોના ઐતિહાસિક પ્રદર્શન બાદ ઓડિશા સરકારનો મહત્વનો નિર્ણય, હવે આટલા વર્ષ સુધી ભારતીય હોકી ટીમને સ્પોન્સર કરશે ; જાણો વિગતે  

મહાવિતરણને 22,603 મીટરમાં વિવિધ કારણથી રીડિંગ બરોબર જણાયાં નહોતાં. એમાં રેસિડેન્શિયલ, કૉમર્શિયલ ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ મીટરનો સમાવેશ થાય છે. 840 મીટરમાં ગ્રાહકોએ ફેરફાર કર્યો હોવાનું જણાઈ આવ્યા બાદ તેમની સામે વીજચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. અમુક લોકોના મહાવિતરણે વીજજોડાણ પણ કાપી નાખ્યાં હતાં.

Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Exit mobile version