Site icon News Continuous Bureau | Mumbai

હવે સીએમ સામે તપાસ ગોઠવવી થઇ મુશ્કેલ.. ભાજપ-શિવસેનાની ગઠબંધનવાળી સરકારે વિધાનસભામાં પાસ કર્યું લોકાયુક્ત બિલ. જાણો શું છે જોગવાઈઓ…

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે ગઠબંધન કરીને રચાયેલી શિંદે સરકારે આજે એક મહત્વપૂર્ણ બિલ પસાર કર્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં શિંદે સરકાર દ્વારા મહારાષ્ટ્ર લોકાયુક્ત બિલ 2022 પસાર કરવામાં આવ્યું છે.

Maratha quota violence: CM reacts; Fadnavis apologises on behalf of govt

Maratha quota violence: મરાઠા આંદોલન મામલે બેકફૂટ પર આવી શિંદે સરકાર! લાઠીચાર્જ માટે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે માંગી માફી, આપ્યું આ આશ્વાસન..

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ( Maharashtra  ) ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે ગઠબંધન કરીને રચાયેલી શિંદે સરકારે આજે એક મહત્વપૂર્ણ બિલ પસાર કર્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં શિંદે સરકાર દ્વારા મહારાષ્ટ્ર લોકાયુક્ત બિલ 2022 પસાર કરવામાં આવ્યું છે. આ બિલ ( Lokayukta bill ) મુજબ લોકાયુક્તે મુખ્યમંત્રી વિરુદ્ધ કોઈપણ તપાસ શરૂ કરતા પહેલા વિધાનસભાની મંજૂરી લેવી પડશે. આ સાથે વિધાનસભાના કુલ સભ્યોના ઓછામાં ઓછા બે તૃતીયાંશ સભ્યોની મંજૂરી જરૂરી રહેશે.

Join Our WhatsApp Channel

મહત્વનું છે કે મહારાષ્ટ્ર લોકાયુક્ત બિલ 2022 સોમવારે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે આ તે બિલ છે જેમાં મુખ્યમંત્રી અને કેબિનેટને ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલના દાયરામાં લાવવાની જોગવાઈ છે. આ બિલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લોકાયુક્ત મુખ્યમંત્રી સામે ભ્રષ્ટાચારના આરોપો સાથે સંબંધિત આવા કેસોની તપાસ નહીં કરે, જે આંતરિક સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત હોય.

હવે મુખ્યમંત્રી સામે તપાસ કરવી મુશ્કેલ બનશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહારાષ્ટ્ર લોકાયુક્ત બિલ 2022માં એવી જોગવાઈ પણ છે કે આંતરિક સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા સંબંધિત કોઈપણ મામલાની તપાસ મુખ્ય પ્રધાન સામેના ભ્રષ્ટાચારના આરોપોને ગુપ્ત રાખવામાં આવશે અને જો લોકાયુક્ત આ નિષ્કર્ષ પર પહોંચશે તો ફરિયાદ બરતરફ થવાને પાત્ર છે, પૂછપરછના રેકોર્ડ્સ પ્રકાશિત કરવામાં આવશે નહીં અથવા કોઈને પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં.

આ સમાચાર પણ વાંચો:  Mumbai News : વિશ્વમાં કોરોનાના કેસ વધતાં પાલિકા થઇ સતર્ક, જાહેર કરી ખાસ માર્ગદર્શિકા.. જાણો…

વિરોધ પક્ષોના નેતાઓ વિરોધ પ્રદર્શન કરતા રહ્યા

અનેક પક્ષોના નેતાઓ આ બિલનો વિરોધ કરી રહ્યા હતા. તેમ છતાં મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું.

લોકાયુક્ત કાયદો શું છે?

2011માં દિલ્હીમાં વરિષ્ઠ સમાજસેવક અણ્ણા હજારેના આંદોલન બાદ કેન્દ્ર સરકારે દેશમાં લોકાયુક્ત કાયદો લાગુ કર્યો હતો. લોકપાલ બિલ 2013 લોકપાલ અને લોકાયુક્ત બિલ 2013 તરીકે પણ ઓળખાય છે. આ દેશમાં પ્રસ્તાવિત ભ્રષ્ટાચાર વિરોધી કાયદો છે. જેમાં લોકયુક્તની સંસ્થાની સ્થાપના કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં અમુક જાહેર સંસ્થાઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો અને તેના તત્વોની તપાસ. ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ તરીકે ઓળખાતો આ કાયદો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Ram Mandir Trust CEO અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના સીઈઓપદ માટે આ ત્રણ નામોની પસંદગી, ટૂંક સમયમાં લેવાશે અંતિમ નિર્ણય
Eknath Shinde Devendra Fadnavis Late Night Meeting મહારાષ્ટ્રમાં મોટી રાજકીય હલચલ, એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મોડી રાત્રે બેઠક, કારણ આવ્યું સામે
Widow and Orphan Cess on Petrol Diesel આ રાજ્યમાં પેટ્રોલડીઝલ ખરીદવા પર ચૂકવવો પડશે ‘વિધવા અને અનાથ સેસ’, જાહેર થયું નોટિફિકેશન
Surat Doctor Suicide Case સુરત સિવિલ ડોક્ટર આત્મહત્યા કેસ ૨૪ કલાકમાં તપાસ પૂર્ણ; ૪ સીનિયર ડોક્ટરો સસ્પેન્ડ, HODને ‘શોકોઝ’ નોટિસ
Exit mobile version