Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર : સમન્સનું પાલન ન કરતાં મુંબઈ પોલીસે ભૂતપૂર્વ પોલીસ કમિશનરને 5,000 રૂપિયાનો ફટકાર્યો દંડ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિયુક્ત ન્યાયમૂર્તિ ચાંદીવાલ કમિશને મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ પર નિવેદનની નોંધણી માટે સમન્સનું પાલન ન કરવા બદલ ₹ 5,000નો દંડ ફટકાર્યો છે. એક મીડિયા હાઉસના અહેવાલમાં જણાવાયું છે કે કમિશને તેમને ત્રણ વખત સમન્સ પાઠવ્યું હતું, પરંતુ તેઓ બે સુનાવણીમાં હાજર થવામાં નિષ્ફળ ગયા હતા, જ્યારે ત્રીજા ભાગમાં તેના વકીલ હાજર રહ્યા હતા.

પરમબીર સિંહે રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ લગાવેલા ભ્રષ્ટાચારના આરોપોની આ સમિતિ તપાસ કરશે. રાજ્ય સરકારે સિવિલ કોર્ટની સત્તા સમિતિને સોંપી છે. હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કૈલાસ ઉત્તમચંદ ચાંદીવાલની એક સદસ્યની કમિટીની સ્થાપના 30 માર્ચે કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને વિસ્ફોટક પત્રમાં કરવામાં આવેલા આક્ષેપો માટે મુંબઈના ભૂતપૂર્વ ટોચના અધિકારીની ન્યાયિક તપાસ કરવા માટે કમિટીની સ્થાપના કરવામાં આવી હતી.

પર્યટન માટે જાણીતા આ રાજ્યના મુખ્યમંત્રીએ વેક્સિનેશનને લઇ કરી મોટી જાહેરાત ; આ તારીખ સુધીમાં 100 ટકા લોકોને અપાઈ જશે રસીનો પ્રથમ ડોઝ

ઉલ્લેખનીય છે કે આ પત્રબઈ પોલીસ કમિશનર તરીકે સિંહને પદભ્રષ્ટ કરવામાં આવ્યાના થોડા દિવસો પછી સામે આવ્યો હતો. પત્રકમાં મું સિંહે આરોપ લગાવ્યો છે કે અનિલ દેશમુખે કેટલાક પોલીસ અધિકારીઓને મુંબઈના 1750 બાર અને રેસ્ટરાંમાંથી દર મહિને 100 કરોડ રૂપિયા એકત્રિત કરવાનો લક્ષ્યાંક આપ્યો છે. આ આરોપો બાદ બૉમ્બે હાઈ કોર્ટમાં આક્ષેપોની CBI તપાસની માગ માટે અરજીઓ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ અંગે કહ્યું કે આ આરોપો ગંભીર છે તેથી કેન્દ્રીય એજન્સીએ આ મામલે વધુ તપાસ કરવી જોઈએ.

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version