Site icon

મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં 31 મે સુધી લોકડાઉન લંબાવે તેવી સંભાવના

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ 

14 મે 2020

મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લોકડાઉનને મેના અંત સુધી એટલે કે 31મી મે સુધી લંબાવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જોકે, સરકારના નિર્ણયની સત્તાધિકારીક  જાહેરાત થોડા દિવસમાં કરવામાં આવશે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસના પ્રધાનોની બે દિવસીય બેઠકમાં રાજ્યમાં જીવલેણ વાયરસથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ રાજ્યમાં તબક્કાવાર રીતે લોકડાઉન લંબાવવાની અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાની ચર્ચા પણ થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં લોકડાઉન લંબાવા અંગે સંમતિ દર્શાવાઈ હતી. વળી, જે વિસ્તારો કન્ટેન્ટ ઝોનમાં નથી આવતા તેવા ક્ષેત્રને હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ જે વિસ્તારો રેડ ઝોનમાં છે તેમને કોઈ છૂટ આપવામાં આવશે નહીં..

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version