Site icon

મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં 31 મે સુધી લોકડાઉન લંબાવે તેવી સંભાવના

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ 

14 મે 2020

મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લોકડાઉનને મેના અંત સુધી એટલે કે 31મી મે સુધી લંબાવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જોકે, સરકારના નિર્ણયની સત્તાધિકારીક  જાહેરાત થોડા દિવસમાં કરવામાં આવશે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસના પ્રધાનોની બે દિવસીય બેઠકમાં રાજ્યમાં જીવલેણ વાયરસથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ રાજ્યમાં તબક્કાવાર રીતે લોકડાઉન લંબાવવાની અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાની ચર્ચા પણ થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં લોકડાઉન લંબાવા અંગે સંમતિ દર્શાવાઈ હતી. વળી, જે વિસ્તારો કન્ટેન્ટ ઝોનમાં નથી આવતા તેવા ક્ષેત્રને હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ જે વિસ્તારો રેડ ઝોનમાં છે તેમને કોઈ છૂટ આપવામાં આવશે નહીં..

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version