Site icon

ઠાકરે સરકારે લીધો મોટો નિર્ણયઃ પ્રધાનોના બંગલાને મળશે હવે આ નામ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,14 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શુક્રવાર. 

મહારાષ્ટ્રમાં દુકાનોના બોર્ડના નામ મરાઠી કરવાના નિર્ણય બાદ હવે ઠાકરે સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે. મહાવિકાસગાડી સરકારે રાજ્યમાં મંત્રીઓના બંગલાના નામ બદલવાનો નિર્ણય લીધો છે. 

મહારાષ્ટ્રના કિલ્લાઓની ઐતિહાસિક ધરોહરને જાળવી રાખવા અને લોકોને તેના વિશે માહિતગાર કરવા માટે મંત્રીઓના બંગલાને કિલ્લા તરીકે નામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર બાંધકામ વિભાગે આ અંગે આદેશ જારી કર્યો છે. તે મુજબ મંત્રીઓના સરકારી બંગલાઓનું નામ બદલવામાં આવ્યું છે. તે મુજબ આદિત્ય ઠાકરેના સરકારી બંગલાનું નામ ‘રાયગઢ’ રાખવામાં આવ્યું છે. જિતેન્દ્ર આવ્હાડનો બંગલો ‘શિવગઢ’ તરીકે ઓળખાશે અને અમિત દેશમુખનો બંગલો હવે ‘જંજીરા’ તરીકે ઓળખાશે. વિજય વડેટ્ટીવારનો બંગલો ‘સિંહગઢ’, વર્ષા ગાયકવાડનો બંગલો ‘પાવાગઢ’, હસન મુશ્રીફનો ‘વિજયદુર્ગ’, ઉદય સામંતનો ‘રત્નસિંધુ’ વગેરે નામ કરણ કરવામાં આવવાના છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના આતંક વચ્ચે તંત્રની ઊંઘ હરામ, રાજ્યમાં અત્યાર સુધી આટલા હજાર પોલીસકર્મીઓ થયા સંક્રમિત; જાણો વિગતે 

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version