Site icon

મહારાષ્ટ્ર સરકાર આગામી દિવસોમાં લોક ડાઉન સ્વરુપે મોટા પગલાં લેશે

 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

Join Our WhatsApp Community

મુંબઈ, ૦૨ એપ્રિલ ૨૦૨૧

શુક્રવાર

મહારાષ્ટ્ર ના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે એ કોરોના ને કાબુમાં લેવા માટે પોતાના વિડિયો સંદેશ માં જણાવ્યું કે કોરોના ને હરાવવા માટે ઘણું કરવું પડશે. નહીં તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે. આગામીી પંદર દિવસની અંદર રાજ્યની તમામ મેડિકલ સુવિધાઓ અધુરી પડશે. આ પરિસ્થિતિમાં lockdown સિવાય બીજો કોઈ પર્યાય બાકી રહેતો નથી. 

જો કે આ સંદર્ભે તેમણે કોઈ જાહેરાત કરી નથી અને જણાવ્યું છે કે આગામી દિવસોમાં તેઓ અનેક લોકો સાથે ચર્ચા કરશે અને ત્યારબાદ જો કોઈ પર્યાય નહીં બચે તો lockdown અથવા તેના જેવા કડક પગલાં લાગુ કરવું પડશે.

મુખ્યમંત્રીએ વિપક્ષના નેતાઓ ઉપર પણ ઘણા આરોપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અત્યારે સકારાત્મક રીતે મદદની આવશ્યકતા છે. આ ઉપરાંત તેમણે સંખ્યાબંધ દેશોના ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે દરેક દેશે અનેક વખત lockdown કર્યા છે.

આ સાથે જ તેમણે સામાન્ય લોકોને હાકલ કરી હતી કે તેઓ સરકારને સહયોગ કરે.

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version