Site icon

Maharashtra Jail Department: મહારાષ્ટ્ર જેલ વિભાગનો મોટો નિર્ણય… હવે જેલના કેદી પણ માણી શકશે પાણીપુરી અને આઈસ્ક્રીમનો સ્વાદ… જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો..

Maharashtra Jail Department: અત્યાર સુધીમાં તમે ફિલ્મોમાં જેલના કેદીઓને દાળ ભાત ખાતા જ જોયા હશે અને કેદીઓને નંબરવાળા કપડાં પહેરેલા જ જોયા હશે. પરંતુ હવે મહારાષ્ટ્રના જેલ વિભાગે તાજેતરમાં નિર્ણય લીધો છે કે કેદીઓ જેલની કેન્ટીનમાંથી ભોજન પણ ખરીદી શકશે…

Maharashtra Jail Department Maharashtra Jail Department's big decision... now jail inmates can also enjoy the taste of Panipuri and ice cream

Maharashtra Jail Department Maharashtra Jail Department's big decision... now jail inmates can also enjoy the taste of Panipuri and ice cream

News Continuous Bureau | Mumbai

Maharashtra Jail Department: અત્યાર સુધીમાં તમે ફિલ્મોમાં જેલના કેદીઓને ( Jail inmates ) દાળ ભાત ખાતા જ જોયા હશે અને કેદીઓને ( prisoners ) નંબરવાળા કપડાં પહેરેલા જ જોયા હશે. પરંતુ હવે મહારાષ્ટ્રના જેલ વિભાગે તાજેતરમાં નિર્ણય લીધો છે કે કેદીઓ જેલની કેન્ટીનમાંથી ( jail canteen ) ભોજન પણ ખરીદી શકશે. કેદીઓને જરૂરી અને મનોરંજક વસ્તુઓ પૂરી પાડવા માટે કેન્ટીન કેટેલોગમાં કુલ 173 વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આરોપીઓને લંચ અને નાસ્તાનું મેનુ ( Lunch Menu ) પણ આપવામાં આવશે. જો કે, એવું કહેવામાં આવ્યું છે કે તમામ પ્રકારનું ભોજન મફતમાં મળશે નહીં, તેના માટે પૈસા ચૂકવીને ખરીદવું પડશે.

Join Our WhatsApp Community

કેદીઓ તેમાં ચાટ મસાલા, અથાણું, નારિયેળ પાણી, ચેસ બોર્ડ, ઓટ્સ, કોફી પાવડર, લોનાવાલા ચિક્કી, સુગર ફ્રી સ્વીટનર, આઈસ્ક્રીમ, ઓર્ગેનિક ફ્રુટ્સ, પીનટ બટર, પાણીપુરી, આર્ટ બુક્સ, કલરિંગ મટિરિયલ જેવી વસ્તુઓની યાદી આપવામાં આવી છે. આ સિવાય ફેસ વોશ, હેર કલર વગેરે જેવી પર્સનલ કેર આઈટમ્સ પણ સામેલ છે. કેદીઓ તમાકુની તૃષ્ણા છોડી શકે તે માટે નિકોટીનની ગોળીઓ પણ યાદીમાં સામેલ કરવામાં આવી છે.

આશા છે કે આનાથી કેદીઓને સારું લાગશે અને તેમનું વર્તન પણ સુધરશે: પોલિસ અધિકારી..

દરમિયાન વરિષ્ઠ પોલીસ અધિકારી અમિતાભ ગુપ્તાએ કહ્યું કે પ્રતિબંધોને કારણે કેદીઓનું માનસિક સંતુલન બગડી શકે છે. ઉપરાંત, કેદીઓનું માનસિક સ્વાસ્થ્ય જાળવવું એ તેમને સુધારવા માટે એક મહત્વપૂર્ણ પરિબળ છે. કેદીઓને ખોરાકના વિવિધ વિકલ્પો આપીને તેમના સ્વાસ્થ્યમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Oxygen Plant Scam : ઓક્સિજન પ્લાન્ટ કૌભાંડ કેસમાં આવ્યો નવો વળાંક.. હવે આ એજન્સી કરશે તપાસ: ECIRનો અહેવાલ.. જાણો શું છે આ સમગ્ર મુ્દ્દો..

આશા છે કે આનાથી તેમને સારું લાગશે અને તેમનું વર્તન પણ સુધરશે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા મહારાષ્ટ્ર જેલ વિભાગે મહારાષ્ટ્રની જેલોમાં કેદીઓના દૈનિક વેતનમાં 10 ટકાનો વધારો કર્યો હતો.

Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Sunetra Pawar: મંત્રાલયમાં ફરી ગાજશે પવારનું નામ! સુનેત્રા પવાર બનશે નવા ડેપ્યુટી CM; જાણો કેમ તેમને અજીત પવારની જ કેબિન ફાળવાઈ?
Maharashtra Weather Update: આભમાંથી વરસશે આફત! મહારાષ્ટ્રના 8 જિલ્લાઓમાં યલો એલર્ટ; ગાજવીજ અને પવન સાથે માવઠાની શક્યતા
Ajit Pawar Funeral: અંતિમ સંસ્કારની ભીડમાં તસ્કરોનો હાથફેરો! અજિત પવારની અંતિમ યાત્રામાં ગઠિયાઓએ મચાવ્યો તરખાટ, અનેક લોકોના ઘરેણાં ગાયબ
Exit mobile version