મહારાષ્ટ્ર અને કર્ણાટકના સંબંધ વધુ બગડ્યા. તમામ બસ વ્યવહાર બંધ. સંજય રાઉત ની ધમકી : ‘લોકોના માથા ફોડી નાખશું’

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

13 માર્ચ 2021

મહારાષ્ટ્ર સરકાર અને કર્ણાટક સરકાર વચ્ચેના સંબંધો પહેલાં કરતાં વધુ ખરાબ થયા છે. બેલગામ આ વિસ્તારને લઈને મહારાષ્ટ્ર આક્રમક છે. હવે નોબત એવી આવી છે કે શિવસેનાના નેતા સંજય રાઉતે મીડિયાને કહ્યું કે હું પોતે બેલગામ જઈશ. ત્યાં જો કાનૂન અને વ્યવસ્થા હાથમાં ના રહી તો તે માટે હું જવાબદાર નથી. આ ઉપરાંત જો લોકોના માથા ફોડવામાં આવે તો તેની માટે શિવસેના કે મહારાષ્ટ્ર સરકારને જવાબદાર ન ઠેરવવી જોઈએ. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે સીમા વિવાદનો મામલો ગરમ થઈ જાય તો કોઈએ દિલ્હીના દરવાજા ન ખખડાવવા જોઈએ.

આમ શિવસેનાએ આક્રમક વલણ લીધું છે બીજી તરફ બંને રાજ્યો વચ્ચે સરકારી વાહન વ્યવહાર બંધ થયો છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More