ડીએચએફએલ લોન કેસ: પુણે પોલીસે આ કેન્દ્રીય મંત્રીની પત્ની અને પુત્ર સામે જારી લુકઆઉટ પરિપત્ર પાછો ખેંચ્યો, જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 16 ઓક્ટોબર, 2021

શનિવાર

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની પત્ની નીલમ અને પુત્ર નિતેશ સામે જારી લુકઆઉટ નોટિસ પાછી ખેંચી લેવામાં આવી છે. 

પુણે પોલીસના ડીસીપી (ક્રાઈમ) શ્રીનિવાસ ગાધેએ જણાવ્યું કે પોલીસને ડીએચએફએલ તરફથી એક પત્ર મળ્યો 

છે, જેમાં રાણે પરિવાર દ્વારા લોનની ચુકવણી અંગે માહિતી આપવામાં આવી છે. 

આ પત્રના આધારે પુણે પોલીસે નીલમ રાણે અને નિતેશ રાણે વિરુદ્ધ જારી કરાયેલ લુકઆઉટ પરિપત્ર પાછો ખેંચી લીધો છે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને બંને લોન ખાતાને એનપીએ તરીકે જાહેર કરાયા બાદ બંને સામે લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી હતી. બંને પાસે લગભગ 27 કરોડ રૂપિયા બાકી હતા.

દેશની વસતીવૃદ્ધિમાં અસંતુલનતા દેશની અખંડતા સામે ખતરો : વસતિનિયંત્રણ કાયદો બનાવી બધા પર સમાન લાગુ કરવાની સંઘના આ નેતાએ કરી  માગણી; જાણો વિગત 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More