Maharashtra: હવે મુસાફરી ધુમાડા અને ધ્વનિ પ્રદુષણ મુક્ત થશે, MSRTC આ રૂટ પર દોડાવશે 20 ઈ-બસ.. જાણો કેટલું હશે ભાડું

Maharashtra: આ બસ ફૂલી એરકન્ડિશન્ડ હશે. આ બસો સિંગલ ચાર્જમાં 200 કિમી ચાલી શકે છે. આ બસો માત્ર 2 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે. બસ ભાડાની વાત કરીએ તો, તેની ટિકિટની કિંમત હાલની હિરકની (એશિયાડ) બસો જેટલી જ હશે. આ બસમાં મહિલાઓને 50 ટકા ડિસ્કાઉન્ટ, 65 થી 75 વર્ષના વરિષ્ઠ નાગરિકોને 50 ટકા અને અમૃત વરિષ્ઠ નાગરિકોને 100 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

by kalpana Verat
Maharashtra MSRTC to introduce 20 e-buses on Borivali-Thane-Nashik route

News Continuous Bureau | Mumbai 

Maharashtra:  એસટી નિગમની યાત્રા હવે ધુમાડા અને ધ્વનિ પ્રદુષણ મુક્ત થશે. ST કોર્પોરેશને સ્પર્ધામાં ભાગ લેવા માટે 5150 એર-કન્ડિશન્ડ ઈ-બસ ખરીદવાનો મહત્વકાંક્ષી નિર્ણય લીધો છે. રાજ્યમાં 173થી વધુ સ્ટેશનો પર ઈ-ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવામાં આવશે. આ યોજના બોરીવલી-થાણે-નાસિક રૂટથી શરૂ કરવામાં આવી રહી છે. જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી અને એસટી નિગમના અધ્યક્ષ એકનાથ શિંદે કરશે. 

શિવાઈ બસથી થોડી અલગ છે આ બસ 

આ સમારોહ 13 ફેબ્રુઆરી, 2024 ના રોજ થાણેના ખોપટ બસ સ્ટેન્ડથી બપોરે 3 વાગ્યે યોજાશે. આ સાથે જ વિવિધ રૂટ પર બસ સેવા શરૂ કરવામાં આવશે અને બસની બેઠક ક્ષમતા 35 મુસાફરોની છે. આ બસ નવ મીટર લાંબી છે અને શિવાઈ બસથી થોડી અલગ છે. બસ સિંગલ ચાર્જ પર લગભગ 200 કિલોમીટરનું અંતર કાપશે. આ બસો માત્ર 2 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે. 

આટલી હશે બસની ટિકિટની કિંમત 

જોકે બસનું સમયપત્રક હજુ નક્કી થયું નથી, પ્રથમ બસ નાશિકના હાઈવે બસ સ્ટેન્ડથી સવારે 6 વાગ્યે ઉપડશે અને દર કલાકે નાસિક-બોરીવલી સેવા ચલાવશે. તેની ટિકિટની કિંમત હાલની હિરકની (એશિયાડ) બસો જેટલી જ હશે. આ બસમાં મહિલાઓને 50 ટકા ડિસ્કાઉન્ટ, 65 થી 75 વર્ષના વરિષ્ઠ નાગરિકોને 50 ટકા અને અમૃત વરિષ્ઠ નાગરિકોને 100 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

રાજ્યમાં 5000 ST બસો ડીઝલને બદલે LNG પર ચાલશે

દરમિયાન, મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં, મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની પાંચ હજાર ડીઝલ બસોને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) વાહનોમાં કન્વર્ટ કરવા માટે ગયા અઠવાડિયે કિંગ ગેસ કંપની સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Surat: સુરતમાં કામરેજના ધોરણ પારડી ખાતે નિરાધાર મનોદિવ્યાંગોની સેવા અર્થે રૂ.૩૨ કરોડના ખર્ચે નિર્મિત ‘આશીર્વાદ માનવમંદિર’નું લોકાર્પણ.

આ LNG ઇંધણનો ઉપયોગ ડીઝલ ઇંધણ વાહનોથી થતા પ્રદૂષણને લગભગ દસ ટકા ઘટાડવામાં મદદ કરશે. તે જ સમયે, તે કોર્પોરેશનને દર વર્ષે 234 કરોડ રૂપિયા બચાવવામાં મદદ કરશે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું હતું કે મુસાફરોને સસ્તી અને પર્યાવરણને અનુકૂળ સેવાઓ મળશે.

આ વેબસાઇટ દ્વારા બુક કરો

આ બસોનું એડવાન્સ રિઝર્વેશન સત્તાવાર વેબસાઇટ www.msrtc.maharashtra.gov.in  તેમજ મોબાઇલ રિઝર્વેશન એપ msrtc મોબાઇલ રિઝર્વેશન એપ પર ઉપલબ્ધ રહેશે. તમામ નાગરિકોએ આ સેવાનો લાભ લે તેવી એસટી નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

You may also like