Site icon News Continuous Bureau | Mumbai

Ajit Pawar: ચૂંટણી પોતાની જગ્યાએ, દોસ્તી પોતાની જગ્યાએ! અજિત પવારનું મોટું નિવેદન, દેવેન્દ્ર ફડણવીસ સાથે ના સંબંધ ને લઈને કહી આવી વાત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સાથી પક્ષો વચ્ચેની ખેંચતાણ પર અજિત પવારે મૌન તોડ્યું; શિવસેના-ભાજપ અને ઠાકરે ભાઈઓના વિવાદ પર પણ કર્યા પ્રહાર.

Ajit Pawar ચૂંટણી પોતાની જગ્યાએ, દોસ્તી પો

Ajit Pawar ચૂંટણી પોતાની જગ્યાએ, દોસ્તી પો

News Continuous Bureau | Mumbai

Ajit Pawar  મહારાષ્ટ્રમાં 15 જાન્યુઆરીએ યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીઓ પહેલા મહાયુતિ ગઠબંધનમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અંગે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે (Ajit Pawar) મહત્વની સ્પષ્ટતા કરી છે. પુણેમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક ચૂંટણીઓમાં અલગ-અલગ લડવાથી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) સાથેના તેમના સંબંધો પર કોઈ અસર પડશે નહીં. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પરિણામ ગમે તે આવે, તેમની વચ્ચે 100% કોઈ મતભેદ થશે નહીં.

Join Our WhatsApp Channel

કોંગ્રેસ સાથેના ગઠબંધન અને જૂની પરંપરાનો આપ્યો હવાલો

અજિત પવારે રાજકીય ઈતિહાસ યાદ અપાવતા કહ્યું કે, “1999 થી જ્યારે અમે કોંગ્રેસ સાથે ગઠબંધનમાં હતા, ત્યારે પણ અમે લોકસભા અને વિધાનસભા સાથે લડતા હતા, પરંતુ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં (Local Body Elections) પોતાના કાર્યકરોને મજબૂત કરવા માટે એકબીજાની વિરુદ્ધ લડતા હતા.” તેમણે વધુમાં ઉમેર્યું કે, 2017 માં પણ ભાજપ અને શિવસેના મુંબઈ-ઠાણેમાં એકબીજા વિરુદ્ધ લડ્યા હતા, તેથી અત્યારે જે કંઈ થઈ રહ્યું છે તે રાજકારણમાં નવું નથી.

ઠાકરે ભાઈઓ અને મરાઠી મુદ્દા પર નિશાન

મુંબઈ મહાનગરપાલિકા (BMC) ચૂંટણીના માહોલ પર અજિત પવારે કહ્યું કે, અત્યારે શિવસેના-ભાજપ અને ઠાકરે ભાઈઓ (રાજ અને ઉદ્ધવ ઠાકરે) એકબીજા પર ગંભીર આરોપો લગાવી રહ્યા છે. કોઈ મરાઠી અસ્મિતાનો મુદ્દો ઉઠાવે છે તો કોઈ જાતિવાદનો. તેમણે કહ્યું કે જનતા ઘણી સમજદાર છે અને તે જાણે છે કે કોને મત આપવો. આ તમામ વિવાદોના પરિણામો 16 જાન્યુઆરીએ સ્પષ્ટ થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: મકર સંક્રાંતિ પહેલા કિંમતોમાં કડાકો, છતાં ભાવ આકાશે; જાણો આજના લેટેસ્ટ રેટ.

“રાષ્ટ્રદ્રોહીઓને મૃત્યુદંડ આપવો જોઈએ” – અજિત પવાર

પોતાની વિચારધારા વિશે વાત કરતા અજિત પવારે કહ્યું કે તેમની વિચારધારા સેક્યુલર (Secular) છે. ભારત એક વિશાળ દેશ છે અને અહીં રહેતા તમામ લોકો ભારતીય છે. જો કે, દેશની સુરક્ષા સાથે બાંધછોડ કરનારાઓ સામે તેઓ કડક છે. તેમણે માંગ કરી કે જો કોઈ દેશ વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહ કરે છે, તો તેને મૃત્યુદંડ આપવા માટે નવો કાયદો બનાવવો જોઈએ. તેમના આ નિવેદને પ્રચારના અંતિમ દિવસે રાજકીય ગરમાવો વધારી દીધો છે.

 

Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Hawala Racket। દિલ્હીસુરત હવાલા નેટવર્ક આમ આદમી પાર્ટીના નામે ૧.૨ કરોડની રોકડ પકડાતા ખળભળાટ, જાણો શું છે મામલો?
Exit mobile version