Site icon

કોરોનાને લઇને આ રાજ્યમાં કડક નિયમો લાગુ, વેક્સીનના બે ડોઝ લેનારને પણ એરપોર્ટ પર RT-PCR રિપોર્ટ બતાવ્યા બાદ જ પ્રવેશ મળશે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

દેશમાં વધી રહેલા કોરોના કેસો વચ્ચે મહારાષ્ટ્ર સરકારે અન્ય દેશોમાંથી આવતા મુસાફરો માટે નવા નિયમની જાહેરાત કરી છે.

રાજ્ય સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે હવે જે કોઈ અન્ય દેશમાંથી મુંબઈ આવે છે, તેણે કોરોનાનો RT PCR રિપોર્ટ પોતાની પાસે રાખવો ફરજિયાત રહેશે. નહિંતર, રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. 

સાથે તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે રસીના બંને ડોઝ મેળવ્યા પછી પણ RT PCR રિપોર્ટ બતાવવો પડશે. 

આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે નવા નિયમો મધ્ય પૂર્વ, યુરોપ અને દક્ષિણ આફ્રિકાથી આવતા મુસાફરોને પણ લાગુ પડશે.  

આવી સ્થિતિમાં, હવે જૂના નિયમોને પણ વધુ કડક બનાવવામાં આવ્યા છે અને દરેકને તેનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

હવે આ કડક નિયમોને ચુસ્તતાથી અમલી કરાશે કારણ કે મહારાષ્ટ્રમાં કોરોનાનું ડેલ્ટા વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યું છે.

યુપીમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ, મુખ્તાર અંસારીના મોટાભાઈ સિબગતુલ્લાહ આ પાર્ટીમાં જોડાયા; જાણો વિગતે

Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Exit mobile version